Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 184
________________ હતી. ભાલ-નળકાંઠાના પ્રદેશમાં પ્રાયોગિક સંઘ દ્વારા જે કામો થયાં, જે શુદ્ધિપ્રયોગ સંતબાલજીએ આદર્યો, લોકોને શિકાર-માંસ-દારૂ-જુગારદેવાની ચુંગાલમાંથી મુક્ત કરવા જે પરિશ્રમ એમણે લીધો, દબાયેલીકચડાયેલી-શોષિત માનવજાત માટે એ મથ્યા, અનુબંધ અને ધર્મમય સમાજ રચવાનું સ્વપ્ન સાકાર કરવા પ્રયત્નશીલ રહ્યા - આ બધું પેલી કરુણાભાવના વિના શક્ય બન્યું ન હોત. ૪. માધ્યચ્ય ભાવનામાં જે અવિનીત છે. જે ખોટું કામ કરે છે તેના પ્રત્યે દ્વેષ, તિરસ્કાર, ક્રોધ કે વૈરભાવ ન રાખતાં તટસ્થભાવ, ઉદાસીનભાવ કેળવવાની વાત છે. પ્રભુ મહાવીરે ચંડકૌશિક કે ગોશાલકના ઉપસર્ગો સહી લીધા એ આનાં દષ્ટાંતો છે. જૈન શાસનમાં પણ પરંપરા વિચ્છેદનાં દષ્ટાંતો ક્યાં નથી ? સ્થૂલિભદ્ર દીક્ષિત થયા પછી પ્રથમ ચાતુર્માસ પૂર્વ પ્રેમિકા કોશાને ત્યાં કરે એ ઘટના સાધુજીવનની આચારપરંપરામાં સહ્ય-સ્વીકાર્ય બને ખરી? છતાં એમ થયું. ચાતુર્માસ પૂર્ણ કરીને પાછા ફરેલા સ્થૂલિભદ્રને ગુરુએ “દુષ્કર દુષ્કર' ઉદ્ગારોથી સન્માનિત કર્યા. સ્ત્રીપરિષદના એક ઉત્તમ દૃષ્ટાંત તરીકે આજે એ કથાનકને આપણે સ્મરીએ છીએ. જૈનોના મંગલાચરણમાં સ્થૂલિભદ્ર ચિરસ્થાન પામ્યા સંતબાલજીના જીવન-કવનનો, એમના વૈચારિક વિશ્વનો વિવિધ વિદ્યાકીય દૃષ્ટિએ સંશોધનાત્મક અભ્યાસ થવો હજી બાકી છે. એને માટે ઘણો અવકાશ છે ને નવી પેઢીના અભ્યાસીઓએ આ પડકાર ઝીલવા જેવો છે. જ્ઞાનધારા (૧૦૦) જનસાહિત્ય જ્ઞાનસત્ર-૪

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218