Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 201
________________ સાધન બની રહે છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે - મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન. __मतिश्रुतावधिमनः पर्यायकेवलानिज्ञानम् । तत्थ पंचविहं नाणं सुयं आभिनिबोधिय ॥ (તત્ત્વાર્થ તત્ત્વાર્થ સૂ. અધ્યા.-૧, સૂ.-૯) ओहिनाणं तु तइयं मणनाणं च केवलं (ઉત્ત. ૨૮મું અધ્ય, ગાથા-૩) ૨. સમ્યગદર્શન દર્શનયોગ : જે વસ્તુ જેવી છે તેને તે જ રૂપે જોવા તે સમ્યગું દર્શન છે. ઉમાસ્વાતિએ તત્ત્વાઈશ્રદ્ધા સવર્ણનમ્ | (તત્ત્વાર્થ સૂત્ર, અધ્યાય-૧, સૂટ-૨) નવ તત્ત્વોની શ્રદ્ધા તે સમ્યગુ દર્શન. અથવા દેવ, ગુરુ અને ધર્મ તે ત્રણ તત્ત્વ પરથી શ્રદ્ધા તે સમ્યગુદર્શન. અનાદિકાળના ભવભ્રમણનું કારણ છે જીવની ભ્રાંતિ અથવા મિથ્યાદર્શન. તેથી જ આ ભ્રમને ભાંગવો. સત્યદર્શન પ્રાપ્ત કરવું તે યોગમાર્ગમાં અત્યંત આવશ્યક છે. સમ્યગદર્શન પ્રાપ્ત કર્યા પછીની પ્રત્યેક ક્રિયા મોક્ષનું કારણ બની શકે છે. જિનેશ્વર પ્રરૂપિત આગમના માધ્યમથી અથવા સદ્ગુરુના નિમિત્ત પદાર્થના સ્વરૂપને જાણવું અને તેના પર શ્રદ્ધા રાખવી તે વ્યવહાર સમકિત. सत्ता वस्तूनि सर्वाणि स्याच्छब्देन वचांत्ति च । चिता जगति व्याप्तानि पश्यन् सदद्दष्टिरुच्यते ॥७॥ (ભટ્ટરાકશ્રી જ્ઞાનભૂષણકૃત તત્ત્વજ્ઞાન તરંગિણી, અધ્યાય-૧૨) સમસ્ત વસ્તુ જેમ છે તેમ સત્તારૂપે, તેના વાચક સમસ્ત વચનોને અનેકાંત દૃષ્ટિએ અને વિશ્વમાં વ્યાપેલ સર્વ પદાર્થોને જ્ઞાનદૃષ્ટિએ જોનાર તે સમ્યગુદૃષ્ટિ એ છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ પ્રતીત , વૃત્તિ વહે નિજભાવમાં પરમાર્થે સમકિત. નિશ્ચયથી સમ્યગુદર્શનનું સ્વરૂપ સમજાવતા કહ્યું છે કેस्वकीये शुद्धचिद्रूपे रुचिर्या निश्चयेन तत् । (૧૯૪) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪ SIનધારા

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218