Book Title: Gyandhara 04
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રવૃત્તિ કરે છે. ભાલનળકાંઠા પ્રાયોગિક સંઘ ગુંદીમાં વિદ્યાલય કન્યા છાત્રાલય દવાખાનું વ. પ્રવૃત્તિઓ થઈ રહેલ છે. રાણપુરમાં ખાદી અને ઉન વણાટકામની પ્રવૃત્તિ વિશાળ પાયે થઈ રહેલ છે. આમ મુનિશ્રીની પ્રેરણાથી સ્થપાયેલ સંસ્થાઓ જનહિત અને અધ્યાત્મ પ્રવૃત્તિઓથી ધમધમે છે.
સમાજના હિતને અર્થે સમાજ સેવકો અને સંતોના સમન્વયની એક ઝંખના મુનિશ્રી સંતબાલના હૃદયમાં હતી. તેથી દારૂબંધી કરાવવા દારૂના વ્યસનમાંથી લોકોને મુક્ત કરવા, ધર્મના નામે પશુબલી-પશુવધ અટકાવવા, ગૌ વધ અટકાવી શાકાહાર તરફ લોકોને વાળવા, સર્વધર્મ સમભાવનો પ્રચાર કરવા અને અસ્પૃશ્યતા નિવારણ માટે મુનિ સંતબાલજીની પ્રેરણાથી ૧૯૭૨માં “સંત સેવક સમુદ્યમ પરિષદ”ની સ્થાપના થઈ હતી જેમાં આચાર્ય તુલસી, પૂજ્ય અમરમુનિ, સ્વામી સત્ય મિત્રાનંદગિરિ, સ્વામી ઓમકારાનંદ સરસ્વતી, પૂજ્ય આનંદઋષિ મહારાજ જેવા ભારતવર્ષના દરેક સંપ્રદાય અને ધર્મના આગેવાન વીસ સંતો જોડાયા હતા, અને દેશના અનેક આશ્રમોના આગેવાનો-વડાઓ પણ આ પરિષદના કાર્યમાં જોડાયા હતા. જેનું સંયોજન માનવમુનિએ કરેલું.
વક્તવ્ય અને કર્તવ્યને જીવનની એક રેખા પર રાખનાર આ આત્મસ્થ સંતે ૨૬-૩-૮૨ના ગુડી પડવાના દિને મુંબઈની ધરતી પર અંતિમ શ્વાસ લીધો. મુનિશ્રીના અંતિમદર્શન ઘાટકોપરના સ્થાનકવાસી ઉપાશ્રયમાં રાખવામાં આવેલ અને ત્યાં જ મોરારજીભાઈ દેસાઈના પ્રમુખસ્થાને શ્રદ્ધાંજલિ ગણાનુવાદ સભા યોજાઈ. અંતિમ સંસ્કાર ચીંચણીમાં દરિયાકિનારે થયા અને ત્યાં જ સમાધી બનાવવામાં આવી. લોકમાંગલ્યના કાર્યો કરતાં કરતાં આત્મમસ્તીમાં જીવનાર શતાવધાની ક્રાંતદેષ્ટાને વંદના.
જ્ઞાનધારા
(૧૮૯)
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૪