Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરૂ કૃપાને પ્રેમ પ્રતાપે, ભકતે શિવ સુખ પામે રે, પૂર્ણ શાંતિ પદ પામે નિશ્ચય, ઠતા નિર્ભય ઠામે છે. પરબ્રહા ૧૫૯ ગુરૂ એજ છે ત૫જપ સંયમ, તીર્થ ગ્રતાદિક સર્વે રે, ગુરૂ ભજતાં સર્વ ભજાયું, ભક્ત રહે નહીં ગ રે. પર. ૧૬૦ ગુરૂ કૃપા વણ શિષ્ય નહીં કે, જે સત્ય વિચારી રે; ગુરૂ શિખામણ માને વર્તે, તે શિષ્ય જયકારી રે. પર. ૧૬૧ ગુરૂ હૃદય લેતા તે શિષ્ય, બાકી બીજા જૂઠા રે; ગુરૂ ઉપર શ્રદ્ધા પ્રીતિ વણ, શિષ્ય કૃત્રિમ બૂઠા છે. પર. ૧૬૨ ગુરૂથી નિજને ડાહ્યા માને, કીર્તિ નિજની ઈચ્છે રે; તેવા શિષ્ય નામ માત્રથી, ગુરૂભક્તિ નહીં પ્રીછે રે પર. ૧૬૩ ગુરૂ વચને જેને નહીં ગમતાં, કૃત્રિમ રાગ જણાવે છે, સત્ય પ્રેમ વણ શિષ્ય નહીં તે, ગુરૂનું શીર્ષકટાવે રે. પર. ૧૬૪ અંતરમાં ગુરૂ રાગ ન કિંચિત, નહીં ગુરૂને વિશ્વાસી રે, મુડે કાટે બને ન શિષ્ય, લહે ન ગુરૂની આશીઃ રે. પર. ૧૬૫ ગુરૂ હદય થઇ ગુરૂની સેવા કરતા શિષ્ય સુરાગે રે. પ્રાણ પડે પણ પડે ન પાછા, સ્વાર્પણ કરીને જાગે છે. પર. ૧૬ ગુરૂભકત શિવે સાત્વિક જે, ગુરૂભકિત એક માગે રે,
વર્ગ ન માગે મુકિત ન માગે, યાચકભાવ ને ત્યાગે રે. પર. ૧૯૭ નિષ્કામે ગુરૂ કાર્ય કરે સહુ, વિધિ પૂર્વક ગુરૂ સેવે રે, આત્મ ગુણોને પ્રગટાવીને, આત્મભાવમાં રહેવે રે. પર. ૧૬૮ ગુરૂ વણ નિજની કીર્તિ પ્રતિષ્ઠા, મેટાઈ નહીં વે છે રે; અભેદભાવે ગુરૂમાં રહીને, નિજ આતમ નહિ સંશે રે. પર. ૧૬૯ નિજ આતમ ગુરૂ રૂપ ગણીને, વ્યકિત ભેદ નહીં ધારે રે, એવા શિષ્ય ભકતે ઉત્તમ, જન્મ મરણ સંહારે છે. પર. ૧૭૦ આત્મ ત્યજી જડમાં નહીં મુંઝ, ભકતે તે ગુરૂ રાગી રે; ક્ષણિક જડ વસ્તુને જાણ, અને તેથી વૈરાગી રે. પર. ૧૭૧
For Private And Personal Use Only

Page Navigation
1 ... 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198