Book Title: Gurugeet Gahuli Sangrah
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨ ) એવા ગુરૂ ભક્તની પૂજા, સેવા ભકિત સારી રે; ભાવ ધરીને સંતે ગાવે, પ્રેમ ધરી નર નારી રે. પર. ૧૯૮ આત્મરૂપથી વિશ્વ નિહાળે, ગુરૂ ભકતે રસરંગે રે, મરણ જીવનને પ્રેમે ભૂલી, રહેતે પૂર્ણ ઉમંગે રે. પર. ૧૯ ગુરૂ ભકતેની ચરણલીના, સ્પર્શથકી નરનારી રે, શુદ્ધ બને છે શ્રદ્ધા પ્રેમે, મહિમા એ ભારી રે. પર. ૨૦૦ પ્રભુ ન આપે તે ગુરૂ આપે, ગુરૂ કરતાં ગુરૂ ભકત રે, આપે તેવું કઈ ન આપે, શિષ્ય ભકત છે સંતે રે. પર. ૨૦૧ ગુરૂની સેવા ભક્તિમાંહી, સર્વે ધર્મ સમાયા રે, સર્વ લબ્ધિ સત્ય સમાઈ, પ્રેમ પ્રતીત કહાયા છે. પર. ૨૦૨ એવું નિશ્ચય જાણ ભક, સાત્વિક ભક્તિ સેવા રે, કરવામાં રંગીલા પૂરણું, પામે મહાવીર દેવા રે. પર. ૨૦૩ ગુરૂ ભક્તોને પ્રભુ દર્શન દે, ક્ષણમાં બ્રા પ્રકાશે રે; કેટિ વર્ષ તક જ નહીં થાવે, ક્ષણમાં જ્ઞાન વિકાસે રે. પર. ૨૦૪ ગુરૂ ભકતનું હૃદય શુદ્ધ છે, તેમાં ય પ્રકાશે રે, રાગદ્વેષનું દ્રઢ રહે નહિ, પરમાનંદ વિલાસે રે. ગુરૂ ભકતના હૃદયાકાશે, પ્રભુ ધ્વનિ પ્રગટે છે. તે સહુ વેદ જાણે નિશ્ચય, તેથી માયા વિઘટે રે. પર. ૨૦૬ વિઘાઓ સહ ગુરૂ ભકતને, સહેજે પ્રગટી ફળતી રે. ગુરૂભક્તનું પુણ્ય વધે છે, દુર્લભ શકિત મળતી રે. પર, ૨૦૭ ગુરૂની સેવા ચાકરી કરતાં, જ્ઞાન મળે છે પ્રેમે રે; જ્ઞાન વધે તે ફળે ઘણને, જીવન જાતું ક્ષેમે રે. પરબ્રહ્મ ૨૦૮ ગુરૂ વચન સુણતાં જે મળતું, શુતિ ને જ્ઞાન તે જાણે રે, મરતાં પરભવ સાથે આવે, ગુરૂકુલ વાસ પ્રમાણે રે. પરબ્રહ્મ, ૨૦૯ ગુરૂ સાથે રહેતાં બહુ અનુભવ, શિષ્યના મન થાત રે, આત્માનુભવ દર્શન થાતાં, ભાવ અભેદ સુહાતે રે. પરબ્રહ્મ, ૨૧૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198