________________
શ્રી गजरातना ऐतिहासिक लेख
• मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જૂનાગઢ રાજ્યના રાજધાનીના શેહર જાનાગઢની પૂર્વે આશરે એક માઈલ છેટે અશકનાં પ્રસિદ્ધ ચિત્ર શાસને મળી આવ્યાં છે તે મહેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિધવાળા વિશાળ મેળ કરેલા અને લગભગ શંકુ આકતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચોરસ ફીટથી પણ વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલું છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખે કોતરેલા છે, જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુખ વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ દહામનના સમયને છે, બીજો લેખ ગુપ્તરાજા અદગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પર્ણદત્તના દીકરા થપાલિત ઇ. સ. ૪પદ-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે.
અશાકને લેખ અડકની ઈશાન બાજુ ઉપર છે. ચૌદ શાસને પડખેપડખ બે હાર ગો વેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જાદાં પડાયેલાં છે, ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ છથી ૧૨ શાસને છે. તેરમું અને ચંદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે.
મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બધુ બાંધતી વખતે આ લેખના પાંચમાં અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉપાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર ડો. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે.
તેરમા શાસનના ગુમ થએલ ભાગના બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે.
"Aho Shrut Gyanam"