Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 10
________________ પણ એ કમ તે ન પણ અનુસર્યો હોત ! પ્રેમને ખાતર બલિદાનને – આત્મસમર્પણને ક્રમ પણ તે અનુસરી શક્યો હોત – જેવું શ્રગાની જ બીજી નવલકથા “પ્રેમ-બલિદાન” (“ટોઈલર્સ ઑફ ધી સી')માં નિરૂપવામાં આવ્યું છે. પરંતુ માનવને જુદા જુદા વિકલપ અનુસરવાની મળેલી સ્વતંત્રતા, એ જ માનવજીવનની બલિહારી છે, તેમ જ કરુણતા પણ છે. છતાં કલાકાર બેમાંથી કોઈ પણ વિકલ્પનો ક્રમ આબેહૂબ રજૂ કરીને શુદ્ધ પ્રેમની વાસ્તવિકતાનું દર્શન કરાવે, એમાં જ એની કળાકાર તરીકેની કુશળતા છે અને કૃતાર્થતા પણ. કસીમૉદો નર્યો શારીરિક વિદ્રપતનો અવતાર છે. અને તેથી જ તેના મનમાં એક પ્રકારનો ઓછપનો દીન-ભાવ પ્રવર્તે છે. એટલે તે કોઈ પણ સ્ત્રીની અને તેય સુંદર સ્ત્રીની ખામુખા કામના કરવા જાય, એમ સ્વાભાવિક રીતે તે બને જ નહિ. પરંતુ પિલરી ઉપર પાણી પાવાના પ્રસંગને કારણે સમરાદા પ્રત્યે તેનામાં જે કૃતજ્ઞતાને ભાવ ઊભે થાય છે, તેમાંથી જ તેના તરફ એને આકર્ષણ જન્મે છે. ધર્માધ્યક્ષની જેમ જ તે તેના પ્રત્યે તીવ્રપણે આકર્ષાય છે, પણ તે પોતાની મર્યાદાનું ભાન ભૂલતો નથી – વિવેક ચૂકતા નથી. તેથી તે પોતાના પ્રેમને ઍસમરાદાનું રક્ષણ કરવા તરફ વાળી શકે છે: ધર્માધ્યક્ષની પેઠે તેને પિતાને શિકાર બનાવવા તરફ નહીં. તેથી જ તે ગીતામાં બતાવેલા ક્રમ અનુસાર ક્રોધ અને બુદ્ધિભ્રંશને માર્ગે વળતાં બચી જાય છે. છેવટે તે પોતાના પ્રેમની સફળતા પણ પ્રાપ્ત કરે છે – મિલન પણ સાધે છે; પણ કેવી અનેખી રીતે ! ઍસમરાદાને પુરુષ (ફેબસો પ્રત્યેનો પ્રેમ એક મુગ્ધ હૃદયને કૃતજ્ઞતાના ભાવમાંથી જન્મેલો પ્રેમ છે. કેટલો બધો તીવ્ર, કેટલો બધો નિર્મળ ! કોબસ તે કેવળ પશુ છે – છતાં જે ધર્માધ્યક્ષ વચ્ચે ન આવ્યો હોત, તે ઍસમરાહદાને શુદ્ધ પ્રેમ ફોબસમાં પણ સામે શુદ્ધ પ્રેમને પડઘો ન પાડી શક્યો હોત એમ ન કહેવાય. અને ઍસમરાદાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 374