Book Title: Dharmadhyaksha
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Gyanjyoti Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 9
________________ પ્રારસ્તાવિક કેટલીક નવલકથા વાંચી રહ્યા બાદ આપણી જાતને કૃતાર્થ થયેલી અનુભવીએ છીએ : તે વાંચવાથી આપણે માનવજીવનનું કોઈ સત્ય જાણે અવગત કર્યું હોય એમ આપણને લાગે છે. એ સત્ય બંને રીતનું હોઈ શકે : માનવ તરીકે આપણે કેટલા મહાન બની શકીએ તે દર્શાવતું, તેમ જ માનવ તરીકે કેટલા પિતત બના શકીએ તે પણ. વિકટર હ્યુગોની આ નવલકથા ‘હુંચબઁક ઓફ નોંત્રદામ' અપૂર્ણ માનવજીવનની કથા છે. અલબત્ત, અપૂર્ણતાને પણ પૂર્ણપણે રજૂ કરીને લેખક પૂર્ણતાના જ પુરસ્કાર કરવા માગે છે; અને તેથી કરીને જ, કદાચ, પેાતાના હેતુમાં તે વધુ સફળ નીવડે છે. શ્રી પ્રત્યેના પુરુષના પ્રેમનાં બે, અને સ્ત્રીના પુરુષ પ્રત્યેના પ્રેમનું એક, એમ કુલ ત્રણ પ્રેમ-ચિત્રો આ નવલકથામાં રજૂ થાય છે. મુખ્યત્વે ખોટા પ્રેમનું જ સર્વાંગસંપૂર્ણ ચિત્ર રજૂ થાય છે; પણ તે ઉપરથી સાચા પ્રેમ કેવા હોઈ શકે કે કેવા હોવા જોઈએ તેનું સત્ય જ આપણને અવગત થાય છે. આ નવલકથાના મુખ્ય પાત્ર ધર્માધ્યક્ષના સ્ત્રી પ્રત્યેના મેડો મેડો જાગેલા પ્રેમ સ્વાભાવિક ન હોય એમ લાગે; પરંતુ વિદ્યાઓનું અનુશીલન કરવા જતાં, અને નાનાભાઈની જવાબદારી સંભાળવા કરેલા સાંસારિક જીવનના ત્યાગને કારણે એ પ્રેમ મેડો પ્રગટયો અને કંઈક અસાધારણ તીવ્રતાથી પ્રગટ્યો, એટલું જ. પરંતુ પછીથી એ પ્રેમ, ગીતામાં નિરૂપેલ આખા ક્રમને શબ્દશ: અનુસરે છે : કામથી ક્રોધ, ક્રોધથી સંમેાહ, સંમેહથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશથી છેક જ બરબાદી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 374