Book Title: Darjiling
Author(s): Vrajbhai Patel
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 10
________________ વિદ્યાથી વાચનમાળા-૮ સુશોભિત લાગે છે. સીલીગરીથી દાર્જિલિંગ જવા મેટર–રસ્તો પણ છે. આ રસ્તો અને રેલ્વરસ્તો લગભગ સાથે સાથે જાય છે. મેટર કે બસમાં જતાં મજા ઘણી પડે છે, પરંતુ જગા મળવાની હમેશાં મુકેલી રહે છે. આગળથી સીલીગુરીના સ્ટેશન માસ્તરને જણવ્યાથી મેટર કે બસમાં જગા મુકરર કરી શકાય છે. વસ્તી અને હવામાન દાર્જિલિંગમાં લગભગ ૨૦૦૦૦ની વસ્તી છે. એ વસ્તીમાં ૧૨૦૦૦ જેટલા હિન્દુઓ છે, તથા ૫૦૦૦ જેટલા બોદ્ધ ધમીઓ છે, બાકી રહ્યા તે મુસલમાન અને ખ્રિસ્તિઓ. આ ઉપરથી જણાશે કે દાર્જિલિંગની સ્થાનિક વરતી કંઈ નાની નથી. આખા હિંદની માફક અહીં પણ ત્રણ ઋતુઓ છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું. શિયાળામાં અતિશય ઠંડી પડે, ચોમાસામાં પુષ્કળ વરસાદ પડે એટલે આ ઋતુઓમાં બહારના આવનારાઓ તે ન જ આવે. તેઓ તો ઉનાળામાં જ્યારે મેદાનના પ્રદેશમાં અસહ્ય ગરમી પડે ત્યારે જ અહીંની શીતલ ટેકરીઓના પ્રદેશમાં આવે. આથી દાર્જિલિંગની વસ્તી ઉનાળામાં ઘણી વધી જાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32