Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 109
________________ મન રૂપે એટલે વિચાર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ જે પેદા કરે છે તેને મન પર્યાપ્તિ કહેવાય છે. આ છ પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી સમયે સમયે આહારના પુદ્ગલોને ગ્રહણ કરી રસવાળા પુદ્ગલોથી છએ પર્યાપ્તિની શક્તિ વધારતા વધારતા આયુષ્ય નામનો પ્રાણ હોય ત્યાં સુધી જીવન જીવે છે. જે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા સન્ની તિર્યંચો અને મનુષ્યો હોય છે તે જીવો ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ કર્યા બાદ આયુષ્ય બંધની એટલે પરભવના આયુષ્ય બંધની યોગ્યતા પેદા કરીને તે વખતે આયુષ્યનો બંધ કરે અથવા શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણ કરી આયુષ્ય બાંધે અથવા ભાષા પર્યાપ્તિ પૂર્ણ કરીને આયુષ્ય બાંધે અથવા મનપર્યાપ્તિ શરૂ કરીને આયુષ્ય બાંધી મરણ પામી શકે છે તે અપર્યાપ્તા જીવો કહેવાય છે. આ ઉપરથી એ નક્કી થાય છે કે છેલ્લી અધુરી પર્યાપ્તિ એ મરણ પામે અને અપર્યાપ્તાવસ્થામાં આયુષ્યનો બંધ કરે તો તે અપર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જીવો જ બંધ કરી શકે છે. દેવતા-નારકીને વિષે પર્યાપ્તિઓનું વર્ણન : આ જીવો સન્ની હોય છે અને ઉત્પન્ન થનારા જીવો નિયમા પર્યાપ્ત નામ કર્મના ઉદયવાળા જ હોય છે. આથી અપર્યાપ્તાવસ્થામાં મરણ પામતાં નથી. આ જીવોને છએ પર્યાપ્તિઓ હોય છે. પહેલી આહાર પર્યાપ્તિ એક સમયની હોય છે. બીજી શરીર પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તની હોય છે. બાકીની ચાર પર્યાપ્તિઓ એક-એક સમયના કાળમાન જેટલી હોય છે. આ છએ પર્યાપ્તિની શક્તિ પેદા કરીને પોતાનું જેટલું આયુષ્ય હોય ત્યાં સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરીને છએ પર્યાપ્તિની શક્તિને જાળવીને પોતાનું જીવન જીવતા હોય છે. નારકીના જીવો પોતાની શક્તિ અશુભ પુદ્ગલોના આહારથી જાળવી શકે છે અને દેવતાઓ શુભ પુદ્ગલોના આહારથી પોતાની શક્તિ જાળવી રાખે છે. આ ઉપરથી એ સમજવાનું છે કે જીવો પુદ્ગલોની સહાય વિના જીવી શકતા જ નથી કેટલા બધા પરતંત્ર રૂપે જીવીએ છીએ. આ પરતંત્રતા આપણી ચાલે છે એમ ઓળખાવનાર પહેલા નંબરે અરિહંત પરમાત્માઓજ છે. જો એ ન હોય તો પરતંત્રતાને ઓળખાવી કોણ શકે ? પણ આ પુદ્ગલોની સહાયથી શક્તિ પેદા કરવી-એ શક્તિના આધારે જીવન જીવવું. વળી આયુષ્ય પૂર્ણ થવા આવે એટલે શક્તિઓ ક્ષીણ કરીને મરણ પામવું-પાછું બીજી જગ્યાએ જન્મવું-પાછી શક્તિઓ પેદા કરવી-પાછું જીવવું અને મરણ પામવું આ કેટલી પરાધીનતા છે ? પણ આપણે પરાધીનતાથી જીવી રહ્યા છીએ સ્વતંત્ર નથી એમ આપણને લાગે છે ખરૂં ? જો પુરૂષાર્થ કરીએ તો આ પુદ્ગલોની સહાય વિના સ્વતંત્રપણે જીવન જીવી શકાય એવી આપણી શક્તિ જરૂર છે પણ ક્યારે ? પરાધીનતા ખટકે તો ને ? પણ જો આ પુદ્ગલોની પરાધીનતાને ઓળખીએ અને સાવચેત રહી પુદ્ગલમાં રાગાદિ પરિણામ ન કરીએ તોજ સ્વતંત્રપણે જીવન જીવી શકાય. તમે સ્વતંત્રપણે જીવો છો કે પરતંત્રતાથી ? આ વિચાર રોજ કરવા જેવો છે. આજે લગભગ મોટો ભાગ પોતાનું જીવન સ્વતંત્ર રૂપે જીવી શકે છે ખરા ? વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી મન-વચન અને કાયાની જે શક્તિ મળેલી છે તે શક્તિનો પણ સ્વતંત્ર પણે જીવવા માટે નો ઉપયોગ કેટલો ? પોતે પોતાનું બધુ કામ કરવું-કોઇની પાસે કરાવવું નહિ. એ રીતનો પુરૂષાર્થ છે ? કે બીજાની સહાયથી લગભગ જીવીએ છીએ ? જો પુદ્ગલોથી છૂટીને સ્વતંત્ર રીતે જીવન જીવવા માટેનો પુરૂષાર્થ કરવો હશે તો મન-વચન-કાયાના વીર્યની શક્તિ દુરૂપયોગ રૂપે ન ખર્ચાય અને સદુપયોગ રૂપે કેમ ઉપયોગ થાય તેની જરૂર કાળજી રાખીને જીવન Page 109 of 161

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161