Book Title: Chaud Gunsthan
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 244
________________ ગુણસ્થાનના દ્વાર ૨૪૩ ગુ. ૯, ૧૦–સમકિત ૨ તે ઉપશમ, ક્ષાયિક. ગુ. ૧૧–સમતિ ૧ તે ઉપશમ. ગુ. ૧૨, ૧૩, ૧૪–સમકિત ૧ તે ક્ષાયિકા ૨૨, અલપ બહુત્વ દ્વાર કયા ગુણસ્થાનમાં સૌથી ઓછા છો લાભ અને ક્રમશઃ ક્યા કયા ગુણસ્થાને વધારે વધારે થતા જાય છે તે અહીં બતાવ્યું છે. સૌથી છેડા ૧૧મા ગુણસ્થાનવાળા હેય. કારણ કે એક સમયે ઉપશમ શ્રેણવાળા ઉત્કૃષ્ટ ૫૪ જીવ લાભે. તેનાથી ૧૨મા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ. કારણ કે એક સમયે ક્ષપક શ્રેણવાળા ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ લાભે. તેનાથી ૮, ૯ અને ૧૦મા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ લાભે. કારણ કે એક સમયે જધન્ય ૨૦૦ અને ઉત્કૃષ્ટ ૮૦૦ લાભ. તેનાથી ૧૩ ગુણરથાનવાળા સંખ્યાત ગુ. કારણ કે એક સમયે જઘન્ય બે કરોડ અને ઉત્કૃષ્ટ નવ કરોડ કેવળી લાભ. તેનાથી ૭માં ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણા. કારણ એક સમયે જધન્ય ૨૦૦ કરોડ અને ઉત્કૃષ્ટ ૮૦૦ કરોડ લાભે. તેનાથી ૬ઠ્ઠા ગુણસ્થાનવાળા સંખ્યાત ગુણ. કારણ કે એક સમયે જઘન્ય ૨૦૦૦ કરોડ અને ઉત્કૃષ્ટ ૮૦૦૦ કરોડ - સાધુ સાધ્વી લાભે. તેનાથી ૫માં ગુણસ્થાનવાળા અસંખ્યાત ગુણા. કારણ કે મનુષ્ય ઉપરાંત તિર્યંચ શ્રાવકે અસંખ્યાત ગુણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252