Book Title: Chaturvinshati Prabandh
Author(s): Hiralal R Kapadia
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 227
________________ ૨૧૦ શ્રી રાજશેખરસૂરિકૃત [શોધતુપાઈમહાદાને વડે એવા વશ કરાયા કે ચૈત્ય તૈયાર થતાં તે (લેકેના ઉપર) કરોને ભાર ન નાંખે; કેમકે દાનથી ભૂત (પણ) વશ થાય છે એવું વચન છે. ત્યાર બાદ “ચંદ્રાવતી'ના મહાજનને વિષે ચાંપલ નામના મુખ્ય શ્રાવકને ઘેર જઈ તેણે કહ્યું કે જે તમે પૂજાનું સાન્નિધ્ય કરે તે અમે “આબુ ઉપર ચૈત્ય કરાવીએ. ચાંપલે પણ પિતાના તેમજ અન્યનાં કુટુંબોની પણ દેવપૂજા માટે નિત્ય ધનચિના કરી. ત્યાર પછી મંત્રીએ “આરાસણ” જઈને ચૈત્ય બનાવવા માટે યોગ્ય દલવાટક કઢાવ્યા. તેણે તે ધેસરીને લાયક બળદે (!) દ્વારા “આબુ'ની તળેટીએ અણુવ્યા. અડધે અડધે કેશે તેણે દુકાનો મંડાવી. પશુઓને ૧૦ અને માણસોને ભૂખ વગેરેનું કષ્ટ ન હૈ એવા વિચારથી ત્યાં બધું મળે (એવો તેણે પ્રબંધ કરાવ્ય ). “ઉંબરિણ”ના માર્ગે પ્રાસાદ બનાવવા લાયક દ્વિગુણ દળ ગિરિ ઉપર તેણે દાખલ કરાવ્યું. પછી તેણે તે માર્ગને વિષમ બનાવ્યો જેથી પસૈન્ય પ્રવેશી ન શકે. એ પ્રમાણે પૂર્વ કર્મ સિદ્ધ થતાં તેણે સૂત્રધાર શેભનદેવને બોલાવી તેને કર્મસ્થાય તરીકે નીમે. ૧૫ તેણે ઊદલ નામના શાલને ઉપરી બનાવ્યું અને તેને ઇચ્છા મુજબ દ્રવ્ય ખરચવા હુકમ કર્યો. એ પ્રમાણે પ્રબંધ કરીને તેજપાલ ળકે' ગયે. (અહીં) પ્રાસાદ તૈયાર થવા માંડયો. શ્રી નેમિનું બિંબ કટીના પત્થરનું તૈયાર કરાતું હતું. ૭૦૦ સૂત્રધારો ઘાટ ઘડતા હતા. તે દુશીલ તે આગળ આગળથી પૈસા લેતા અને કાર્ય-સમયે ફરી ફરીને માગતા. ૨૦ તેથી ઊદલે મંત્રી તેજ:પાલને લખ્યું કે હે દેવ ! કો નાશ પામે છે. સૂત્રધારે કર્મસ્થાય પાસેથી પહેલેથી (દ્રવ્ય) લે છે. ત્યારે તેજપાલે કહ્યું કે ક્રમે નાશ પામે છે એમ કેમ કહે છે ? નાશ પામી શું કેહી ગયા? (ના, તેમ તે નહિ જ હેય) કિન્તુ (એ દ્વારા) મનુષ્ય ઉપર ઉપકાર થયે. જે (એ દ્વારા) ઉપકાર કરાય તે વિનાશ થયો એમ રપ કેમ કહેવાય ? મારી માતા વંધ્યા છે એ વાક્યની પેઠે પરસ્પર વિરુદ્ધ તે બોલે છે; વાસ્તે તાત્પર્ય એ છે કે સૂત્રધારોની ઈચ્છાને નાશ ન કરો, પરંતુ તે દ્રવ્ય) આપવું જ. તે ઉપરથી ઊદલ આપતા. ગર્ભગૃહમાં શ્રીનેમિનાથના બિબની સ્થાપના કરવામાં આવી ત્યાં સુધી (કામ). થયું. એટલું (તૈયાર ) કરાતાં વસ્તુપાલને તેની ખબર અપાઈ. બંને મંત્રીઓ પ્રસન્ન થયા. શ્રીવાસ્તુપાલની આજ્ઞાથી તેજપાલ અનુપમાની સાથે મોટા પરિવારપૂર્વક આબુ’ ગિરિ પહોંચ્યો. પ્રાસાદ લગભગ ૧ નઠારા આચરણવાળા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266