Book Title: Charitracharna Ath Prakar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૮૯ મને ગુપ્તિનું લક્ષણ-સર્વ પ્રકારની કલ્પનાજાળને ત્યાગ કરી મનને રાખતા સુપ્રતિષ્ઠિત કર્યા બાદ જે આત્મરમણતા કરાય, તે “મને ગુપ્તિ” છે. અથવા કુશળ અને અકુશળ સંકલ્પના નિધને મને ગુમિ કહેવામાં આવે છે. તેમાં કુશળ સંકલ્પોનું અનુષ્ઠાન તે સરાગ સંયમાદિરૂપ છે, જ્યારે અકુશળ એથી વિપરીત સ્વભાવનું છે. કુશળમાં અર્થાત્ સરાગ સંયમાદિમાં પ્રવૃત્તિને સદ્ભાવ હેવા છતાં, સંસારના હેતુરૂપ અકુશળને જે અભાવ હોય તે તે મને ગુપ્તિ છે. રોગના નિરોધની અવસ્થામાં તે સર્વથા અભાવને જ મને ગુપ્તિ કહેવામાં આવે છે અને તે સમયમાં સર્વ કર્મને ક્ષય કરવાને જ આત્માને પરિણામ હોય છે. વચનગુપ્તિનું લક્ષણ-વાચના, પૃચ્છના, પ્રશ્નોત્તર વિગેરે કાર્યોને ઉદ્દેશીને પણ સર્વથા વાણીને નિરોધ કરે, તે “વચનગુપ્તિ જાણવી. અન્ય શબ્દોમાં કહીએ તે ભાષાને સર્વ પ્રકારે નિરોધ યાને એક પણ અક્ષર ન ઉચ્ચાર તે વચનગુપ્તિ છે. કાયગુપ્તિનું લક્ષણ-સુતાં, બેસતાં, કેઈ વસ્તુ મૂક્તાં, જતાં, આવતાં વિગેરે ક્રિયાઓમાં શરીરની ચેષ્ટાને સમ્યક્ પ્રકારે કાબુમાં રાખવી, તે કાયગુપ્તિ છે. મને ગુપ્તિના ત્રણ પ્રકારે આરિૌદ્ર ધ્યાનાનુબંધી કલ્પનાજાળને ત્યાગ, એ અકુશલ નિવૃત્તિરૂપ પ્રથમ પ્રકારની મને ગુપ્તિ છે. શાસ્ત્રાનુસારી, પરલોકસાધક, ધર્મધ્યાનાનુબંધી અને માધ્યચ્ચ પરિણામરૂપ ગુપ્તિ, એ એને બીજે પ્રકાર છે. એટલે કે-ધર્મ અને શુકલ ધ્યાનમાં મનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14