Book Title: Charitracharna Ath Prakar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 12
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૯૭ કરીને જીવન ઉપયોગ મિથ્યાત્વાદિ કર્મ ગ્રહણ કરવાના સાધનમાં મળે છે. પરમાર્થવૃત્તિએ તે જીવ કર્મના પુદ્દગથી ભિન્ન તથા જ્ઞાનાદિ ગુણોને કર્તા અને ભેક્તા છે. પુદ્ગલે જડ, ચલ અને તુચ્છ છે. જગના અનેક જીએ તે ભેળવી ભેગવીને ઉરિ૭૪ (એઠા) થયેલા ભેજનની જેમ મૂકી દીધેલા છે. તેવાં પુદ્ગલોને ભેગ-ઉપભેગપણે ગ્રહણ કરવાને જીવને ધર્મ નથી. આ પ્રમાણે ચિંતન કરી તેથી વિરમવું, તે “નિશ્ચયથી સાતમું વ્રત છે.” ૮. પ્રયજન વિનાના પાપકારી આરંભથી વિરામ પામવું, તે “વ્યવહારને આશ્રી આઠમું અનર્થદંડવિરમણ વ્રત છે.” અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એના ઉત્તરભેદ સત્તાવન જે કર્મબંધના હેતુ છે તેનું નિવારણ કરવું, તે “નિશ્ચયથી અનર્થદંડવિરમણ નામે આઠમું વ્રત છે.” ૯ આરંભના કાર્યને છોડી, સામાયિક કરવું, તે “વ્યવહારથી નવમું સામાયિક વ્રત છે.” અને જ્ઞાનાદિ મૂળ સત્તા ધર્મવડે સર્વ જીવેને સરખા જાણી સર્વને વિષે સમતા પરિશ્રમ રાખવા, તે “નિશ્ચયથી નવમું સામાયિક વ્રત છે.” ૧૦. નિયમિત ક્ષેત્રમાં સ્થિતિ કરવી, તે “વ્યવહારથી દશમું દેશાવળાશિક વ્રત છે.” અને શ્રુતજ્ઞાનવડે જીવાસ્તિકાય આદિ ષટ્દ્રવ્યનું સ્વરૂપ ઓળખી ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમાં ત્યાજ્ય બુદ્ધિ રાખી જ્ઞાનમય જીવનું ધ્યાન કરવું–તેમાં સ્થિતિ કરવી, તે “ નિશ્ચયથી દશમું દેશાવળાશિક વ્રત છે.” ૧૧. અહોરાત્ર સાવદ્ય વ્યાપારને છેડી સ્વાધ્યાયધ્યાનમાં પ્રવૃત્તિ કરવી, તે “વ્યવહારથી અગિયારમું પૌષધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14