Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 2
________________ બિચારા ગા શાળા ! ભગવાન મહાવીર કલાગ સન્નિવેશથી વિહાર કરી રહ્યા હતા. નજર નીચી હતી. ચાલ ધીમી હતી. મન આતમkધાનમાં લીન હતું. ભગવાન જઈ રહ્યા હતા. સાથે ગેશ ળા પણ હતા. વિહારની રાહમાં એક જગાએ ગોશાળાના જાતિબંધુએ બેઠા હતા. ઇટાના કાચા ચૂલા પર, હાંડીમાં તેઓ ખીર બનવાની રાહ જેતા હતા. ગશાળાને ખીર ખાવાનું મન થયું. તેણે ભગવાનને કહ્યું : જરા, ઉભા રહા ! આપણે આ ખીર ખાઈને જઈ એ. ” પણ ભગવાનના જવાબથી ગોશાળા સાવ ઠંડા પડી ગયા. ભગવાને કહ્યું : “ આ ખીર થશે જ નહિ. વચમાં જ તે હાંડી પુટી જશે અને બધી જ ખીર ઢોળાઈ જશે.” આ સાંભળીને બધા જ સતેજ થઈ ગયા. તેઓ હાંડીની પાકી દેખરેખ રાખવા લાગ્યા. ભગવાન તે આટલું કહી ચાલ્યા ગયા. પણ ગેપાળે ત્યાં જ બેસી રહ્યો. સમય થયો. બળતણ જોરથી બળતું હતું. હાંડીનું દૂધ ઉકળી રહ્યું હતું. અંદર ભેળવેલા ચેખા પણ ખુલી રહ્યા હતા અને દૂધ કરતાં ચેખા વધુ હતા. બળતણની એક જ સપ્ત ઝાળ આવી અને હાંડી ફુટી ગઈ. દુધ ઢળાઈ ગયું. ચેખા વેરાઈ ગયા. બિચારો ગોશાળા ! ખીરની વાટમાં વીરથી એક લે પડી ગયો ! ! ! [ શ્રી મદ્ વિજયેન્દ્રસૂરિ રચિત “તીર્થકર મહાવીર ના હિંદી પ્રથમ ભાગમાંથી ભાવાનુવાદ ]

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 64