Book Title: Buddhiprabha 1914 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ બુદ્ધિપ્રભા પુરી. અમદાવાદના મિલ ઉધમની સ્થિતિ જોશો તે જણાશે કે ગાડરીઆ પ્રવાહ પ્રમાણે દેખાદેખી એક જ પ્રકારની મીલ કાઢવાથી તથા ગજા ઉપરાંત જોખમ માળે વહોરી લેવાથી, પોતાની આબરૂ તથા પૈસે ખો. એટલું જ નહિ પણ ભસે નાણું મુકનારની કેરી આવદા થાય છે તે ખુલ્લું જ છે. હવે કેળવાયેલા વર્ગની સ્થિતિ જોઈએ, એના બે વર્ષ પાડી શકાય, એક ચાકરીઆત તથા બીને આતંત્ર ધંધાવાળા (જેવા કે વકીલ, બેરીસ્ટર, સોલીસીટર, ડોકટર, ઇજનેર, વ્યાપારી વગેરે.) ચાWીઆત વર્ગના બે વિભાગ પડી શકે. (૧) સરકારી નોકરી (૨) ખાનગી. | ચાકરીઆત વર્ગનું નીરિક્ષણ કરીશું તે જણાશે કે, પહેલાં કરતાં કેળવાયલે વિ. પગાર વધારે મળે છે એ ખરૂ છે, ને ધીમે ધીમે કળ ક્રમે મેટા હોદાઓ દેશીઓને મળવા માંડયા છે એ સત્ય છે, એટલે સારા પગાસ્વાળાની સ્થિનિ સુધરી છે, એ નિસંશય છે પણ સાધાર કારકુન વર્ષ પહેલા કરતાં દુઃખી છે, કારણ કે પગારના પ્રમાણમાં જરૂરી હાજતો તથા રહેવાનો ખરી વચ્ચે છે અને એવી જ સ્થિતિ ખાનગી નોકરની પણ છે. રવતંત્ર ધંધાની શી દશા છે? આ ધંધાઓ ઇંગ્રેજી રાજ્યના અમલમાં જન્મ પામ્યા છે, તે પૂર્વે વકીલનો અસ્તિત્વમાં ભાગ્યેજ હ. ડોકટર તથા ઈજનેરનું કામ સંસ્કૃત ભણેલા અથવા નહિ ભણેલા, પણું અનુભવથી મેળવેલા જ્ઞાનથી કામ કરનારા વૈો તથા ગજરો તથા સલાટ કરતા હતા. છેક પૂર્વ દિવાની કઇબાનો નીકાલ ગામોની પંચાયત કરતી ને ત્યાર પછી મુસલમાન વખતમાં કાછ તથા અદાલતની સ્વતંત્ર ધંધાઓની સંસ્થા દાખલ કરવામાં આવી મુગલ બાદશાહેના વખતમાં અદાલ તેના પક્ષકારના વકીલે કામ કરતા એવું ઇતિહાસ ઉપરથી જણાય છે. અંગ્રેજ અમલમાં કે સ્થપાયા પછી વકીલ વર્ગ દાખલ કરવામાં આવ્યું. શરૂઆતમાં ઉચ્ચ જ્ઞાતીમાં મુસદી વી જે રાજ્યની નેકરી કરતો હતો તેનું લા એ ધંધા તરફ ખેંચાયું. કાયદાઓ પણ ઘોડા હતા, ને માત્ર નામની પરિક્ષા લઈ સન આપવામાં આવતી હતી. આ પ્રચાર સદર અદાલતના કામનો હતો. ત્યાર પછી કાળક્રમે કેળવણીનો ફેલાવો થયેજ ગયો, પાઠશાળાઓ સ્થપાઈ તથા યુનિવર્સીટીમાં (વિદ્યાલયમાં કાયદાની પરિતા શરૂ થઈ. હાઈકોર્ટ પિતાની વકીલની પરિક્ષા શરૂ કરી, યુનીવરસીટીમાં પાસ થયેલી તથા વકીલાતની પરિક્ષામાં પાસ થયેલાઓને સનંદ આપવા માંડી. ક્રમે ક્રમે જુદી જુદી જાતનું લક્ષ્ય એ તરફ ખેચાયું, ને એ ધંધામાં પ્રથમ ઉચ્ચ જ્ઞાતીઓને નોકરીઆત વ દાખલ થયો. તેમની સારી સ્થિતિ જોઈ વ્યાપારી, ખેતી કરનારા, તથા કારીગર વર્ગના અંગ્રેજી શીખેલ યુવાન વર્ગ તે તરફ આકર્ષાયે. હાલ વસ્તુ એ થઈ છે કે, ખપ કરતાં સંખ્યા વધી જવાથી ધંધાને મેહ જ રહે છે, ને કામ મેળવવાને અનેક યુક્તિઓ તથા સાધને વપરાય છે, ફીને દર ઓછો થયો છે, સરકાર તથા પ્રજામાં મોભે કમી થ છે, કેટલાકને નોકરી શોધવાની ફરજ પડે છે, અથવો વ્યાપારી માર્ગ પકડ પડે છે, અથવા સરકારી ન્યાય ખાતામાં મુનસફની જગ્યા માટે લાયક થવા હલકા પગારની નોકરીમાં વર્ષો લગી રહેવું પડે છે. આ વ––વકીલના ધંધામાં હરિફાઈ વધવાથી તેમજ લોક કેળવાયા જતા ધિવાથી

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33