Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ સપણું. ચક પિતે જે વિષયને સ્તવે વા જે વિષયમાં દોષ દેખાડે તે અનેક સુપુતિયો અને અન્ય મન્વેના પ્રમાણથી સિદ્ધ કરનાર હોવો જોઇએ. મધુર એગ્ય અને તથ્ય શબ્દમાં સમાલચકે સમાલોચના કરવી જોઇએ. સમાલોચના કરનાર ગ્રન્થકના અશુભને ઈચ્છનાર ન હોવો જોઈએ. અન્યકત જે જેશાસ્ત્રને અનુસરી ગ્રન્થ રચતા હોય તો તેણે આગમ અને પ્રામાણિક પૂર્વચાના પ્રત્યે ના અનુસાર ગ્રન્થ એ છે કે નહિ તેનું સમ અવલોકન કરવું જોઇએ. જૈનશાસ્ત્રોનો ૫રિપૂર્ણ અભ્યાસ કર્યો હોય છે તે ગ્રન્થકના ગ્રન્થની સમાલોચના કરવા શક્તિમાન થાય છે. જે સમાચક પિતાની જ્ઞાન શક્તિને તપાસ કર્યાવિના ગમે તે ગ્રન્થની સમાલોચના કરવાને ડોળ ધારણ કરે છે તેઓ સમાલોચક પણના નામને શોભાવી શકતા નથી–સમાલોચના કરવાનું કાર્ય ધારીએ તે કરતાં ઘણું મુશ્કેલ છે–હાલ તે જે ગ્રન્થની સમાલોચના કરનાર સમાલોચક હોય છે તેની સમાલોચના પરથી વાચકે સમાલોચકના હૃદયની સમાલોચના કરે એવો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમાલોચક પોતાની સમાલોચના કરાવે એમ ન બને તેવું લક્ષ રાખવામાં આવે તો યોગ્ય ગ્રન્થોને ઘણે સત્કાર મળી શકે. સમચના કરનારે સમાલોચના કરવામાં ભૂલ ન થાય તતસંબંધી ઉપયોગ ધારણ કરવો જોઈએ. સમાલોચના કરનારે મેહાન્ધતા દૂર કરવી જોઈએ. સમાલોચનામાં સંપૂર્ણ પ્રન્થને વિષયોનો ઉત્તમ રીતે વિવેક દષ્ટિથી ચિતાર આપવો જોઇએ. સમાચના કરતાં ન આવડે તો સમાચના કરવી નહિ એ કાર્ય સારું છે, પણ સમાલોચનાના નામે છબરડે વાળ એ ખરાબ કૃત્ય છે. અલ્પબુદ્ધિવાળે લેખક મહાલેખકના ગ્રન્થની સમાલોચનાનું સાહસ કરે તો તે ગબડી જાય છે. સમાલોચનામાં સત્યતરી આવવું જોઈએ. હાલમાં જે સાક્ષર લેખકો સાપેક્ષ દૃષ્ટિથી સમાલોચના કરતા હોય છે તેમાં અનેક રીતે સત્યના અંશેને આલેખી શકે. રાગ, નેહ, પ્રેમ, મિત્ર, સ્વામી અને અંગત સંબંધથી ગ્રન્થકર્તાના ગ્રન્થની સમાલોચના સારી રીતે થઈ શકતી નથી. વિદ્વાનો ઉપર્યુક્ત વિચારોને ધ્યાનમાં રાખી સમાચના કરશે તે વિજય પ્રાપ્ત કરી શકશે. सत्प[. પ્રકરણ બીજું–વિશ્વ. અપેક્ષાઓ સંબંધી વિચાર અથવા વસ્તુઓને જાણવાની રીતિએ. ( હરબર્ટ વૅરનના લેખનો અનુવાદ. ) ( અનુસંધાન અંક ૧૨ ના પાને ૩૬૨ થી. કે. ( લેખક, શંકરલાલ ડાહ્યાભાઈ કાપડીઆ. ). પંડીત એચ. એલ. ઝવેરીની બનાવેલી “ફર્સ્ટ પ્રીન્સીપલ એફ ધી જૈન ફિલોસોફી” માં આ વિષય અને નીચલો વિષય કેટલીક હકીક્ત સાથે આપવામાં આવ્યો છે. વિચારના પૃથકરણની અંદર અપેક્ષાઓ સંબંધી વિચાર કરવામાં આવે છે અને વસ્તુના અસંખ્ય ગુણે પિકીના એક સંબંધી વિચાર કરતાં બીજા ગુણોની ના પાડી શકાશે નહિ. વસ્તુઓની અપેક્ષાના નિરવું અને નિત્ય એવા બે વર્ગ છે. દાખલા તરીકે આ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59