Book Title: Buddhiprabha 1913 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ બુદ્ધિપ્રભા. - - - તે દરેક જડ અને ચૈતન્ય વસ્તુઓ કે જે પહેલાં હતી, છે અને ભવિષ્ય કાળમાં થશે તે સર્વેને લાગે છે. પદાર્થના આખરના પરમાણુઓના ગુણના પથાય અને દરેક ચૈતન્ય વ્યક્તિના ગુણોના પયાનો હમેશાં ફેરફાર થયાં કરે છે અને જડ અને ચેતન્ય વચ્ચેના સંબંધ હમેશાં બદલાયાજ કરે છે. આવી રીતે નવી ચીજો અને નવા ચિત ના પર્યાયે વારંવાર હમેશાં હયાતિમાં આવે છે અને જુની ચીને ને જુના ચૈતન્યના પર્યાયોની હયાતિને વારંવાર લય થઈ જાય છે. આ મુજબ આ શાસ્વતી-નિત્ય દુનિયામાં પ્રગટ થવાની રીતિઓની ઉત્પતિ છે. પર્વત ઉપર બરફ પીગળીને તેનું પાણી થાય છે એટલે તેમાં પાણીની ઉત્પત્તિ થાય છે અને બરફનો નાશ થાય છે પણ જે દ્રવ્ય-કસીઝન બે ભાગ અને હાઇડ્રોઝન એક ભાગ | ૨૦ છે તે હયાતિમાં રહેલું જ હોય છે. વળી મીજબાની પુરી થાય છે અને નાચ શરૂ થાય છે ત્યારે તેમાં નાચની ઉત્પત્તિ છે અને મીજાબાની હયાતિમાંથી દુર જાય છે પણ તેની અંદરના માણસે એક બીજાને નવા સંબંધમાં હાજર હોય છે. અથવા તે નેબ્યુલા ( તારાઓનો સમુહ) અરત થાય છે ત્યારે સૂર્ય પ્રકાશ થાય છે તેમાં સૂર્યના પ્રકાશની ઉત્પત્તિ અને નેબ્યુલાનો નાશ થાય છે અને જે અભિન્ન દ્રવ્ય છે તે અરિતવમાં રહેલું જ હોય છે. હવે આપણે કાર્ય કારણ સંબંધી વિચારીએ. આ જે ફેરફાર થાય છે તેના માટે કયાં કયાં કારણે છે ? કાય કારણ એટલે બે જુદી જુદી વસ્તુઓ વચ્ચેના સબંધ અથવા અમુક અભિન્ન વસ્તુની બે અપેક્ષાઓ વચ્ચેનો સંબંધ છે. બરફ ઓગળે છે કારણકે સૂર્ણ ગરમ છે. આની અંદર સૂર્ય અને ઓગળતા બરફ વચ્ચે સંબંધિક કારણ છે. બરફ એ પાણીનું કારણ હતું. આવી રીતે આ ખાસ બનાવની અંદર બે કારણો છે ( ૧ ) બરક એ ઉપાદાન કારણ છે ( ૨ ) સૂર્ય એ અનુલગિક. સંકલ્પિક અથવા નિમિત્ત કારણ છે. પહેલું જે ઉપાદાન (Substatial ) કારણું છે તે તેની પ્રથમની સ્થિતિમાં અભિન્ન રહે છે અને બીજું જે નિમિત્ત (instrumental ) કારણ છે તે હમેશાં જુદી વસ્તુ છે. કોઈ પણ વસ્તુને ઉપાદાન કારણુમાં દ્રવ્ય અને તેના પર્યાય, કાર્ય કારણું, અભિન્ન હોય છે. હાલની દુનિયાનું ઉપાદાને કારણે તે તેની પ્રથમની દુનિયા છે અને આત્માનું ઉપાદાન કાર તે પણ આત્માની પ્રથમની સ્થિતિ છે. ઉપલા દાખલામાં જે પાણીનું ઉપાદાને કારણે તે તેની પ્રથમની સ્થિતિ જે બરફની હતી તેમાં પાણીનું હતું. જન તવાન ઉપર પ્રમાણે દરેક બનાવોને માટે તે બે કારણોને માન્ય કરે છે જે બંને કારણે વાસ્તવિક રીતે જરૂરનાં છે, હાજર છે તેમજ સત્ય છે. જે નિમિત્ત કારણ છે તે કોઈ પણ દ્રવ્ય બનાવવામાં કારણ ભુત છે અને દ્રવ્ય (એ. ટલે જેના ઉપર ક્રિયા કરવાની છે તે પિતાની અંદર ક્રિયા કરવા દે છે. આ એક અગત્યને વિષય છે તેથી તે એક જુના ઘડીઆળના દાખલાથી તપાસી જોઈએ. જ્યારે તમે ઘડીઆ ળની શોધ કરવા બેસશો ત્યારે તમે એકલા ને ઘડીકાળના બનાવનાર પ્રત્યે દલીલ કરશે નહિ પણ સાથે તે જે જે ધાતુના ટુકડાનું બનેલું છે તેના વિષે પણ દલીલ કરશે. ઘડી આળ બનાવનારના હાથની અંદર દરેક ધાતુના ટુકડા ઉપર ક્રિયા થાય છે અને તેથી તેઓ એક બીજા નવી રીતમાં અને નવા સબંધમાં જોડાયલા જણાય છે. તેઓ પહેલાં ધડીઆળ

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59