Book Title: Buddhiprabha 1909 07 SrNo 04
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 25
________________ અને પ્રજા પ્રેમ કરી શકતા. હાલ તે બાબતનો વિચાર ન કરતાં આપણું સામાજીક સ્થિતિતરફ દષ્ટિ દેરવીએ. ગૃહસ્થો-શ્રાવકો–શ્રીમંત તેમ જ ગરીબ વર્ગ-એક બીજા તરફ વધારે પ્રેમ દષ્ટિથી જોતાં શિખે, તે માટે આવી સંસ્થાઓમાં તેમને સાથે અભ્યાસ કરાવવો એ અતિ જરૂરી બાબત છે. બોડગે કેવળ સામાન્ય કે મદદની જરૂર પડે તેવી સ્થિતિવાળા માટે જ છે, એ ખ્યાલ દૂર કરી એમ જાવવાની જરૂર છે કે તે સર્વને માટે છે. ધનવાનને પૈસા લઈ તેમાં રાખવા, સામાન્યને મફત રાખવા અને ગરીબને મદદ કરીને રાખવા પણ સને એક રથ રાખવામાં બહુજ લાભ જણાય છે. વ્હાલા શ્રીમાન ! વિદ્યાર્થીઓને મદદની જરૂર ન હય, સ્વાશ્રયી થાય, ત્યારે તમે તમારા ધનને ગમે તે ઉપયોગ કરે, પણ તેવી સ્થીતિ ન હોય, ત્યાં સુધી તમારા માંથી આવાં કાર્યો માટે મદદ કરવાને માગણી કરવા અમારો હક છે. કેમકે જેનબંધુઓની ચઢતી અને સારી સંખ્યાની વૃદ્ધિ ઉપરજ જેનોમની કહે કે ધર્મની કીતિને આધાર છે. યાદ રાખવું જરૂરનું છે કે તેઓ વિના ગગનમાં “વા ઉડાવતાં મંદીર, તીર્થો, સાચવવાં પણ ભારે જશે. અને તે વિચારનારને ખાત્રી થશે. આપણુ બંધુઓ અજ્ઞાન રહી ચુકેશવાળી સ્થીતિમાં પિતાને મનુષ્યભવ નીરર્થક ગુમાવે, તેના જવાબદાર કામના આગેવાને, નાયકેજ, હેવા જોઈએ; આ બધે વિચાર કરતાં બોડી ગરમી સંસ્થાઓ પરમ ઉપગારી જણાય છે, જે સાથે હાલની સ્થિતિ કરતાં ઘણું સુધારાની જગ્યા છે, એમ પણ કહેવું જરૂરનું જણાવે છે, અને આશા રાખીશું કે, મુંબાઈ અને રાજનગર જેવા સ્થલ માં, મદદની ખામી વિનાની એક ની પણ ઘણી બેડિ ગ એજ આ શા અને ઇચ્છા. છે શ્રીમાને જ મદદ કરી શકે? આ બાબત વિચારતાં અલબત શ્રીમાને તરફની વધારે મદદની જરૂર જાણાય છે. પણ સામાન્ય બંધુઓ પણ વાર્ષિક ૧૦–૨૦ રૂપીઆની મદદ આપે તે ૨૦૦ જણની તેની મદદે ૨૦૦૦-કે ૪૦૦૦ મળી શકે. તેથી પણ એછી મદદ આપી શકનારા જે પ્રમાણમાં તયાર રહે તે પ્રમાણમાં સંસ્થા કામ કરી શકશે. હાલ આટલી સુચના બસ થશે.

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36