Book Title: Buddhiprabha 1909 04 SrNo 01 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ ગરજીના સદુપદેશથી અને પોતાની ઉદારવૃત્તિથી ઉપાડી લીધું છે. કેટલાક સંભાવિત ગૃહરાએ તેને મદદ કરી છે. છતાં તે હજુ સારી રીતે ચાલી શકે તે સારૂ વધારે ફંડની ને આવકની જરૂર છે. તે બેડિંગને વાર્ષિક સારી આવક થાય તે માટે આ માસિકની થેજના કરવામાં આવેલી છે. આ માસિકને અંગે થયેલા ખર્ચ સિવાયનો બાકી જે કાંઈ લાભ રહે તે આ બોર્ડિ, ગને આપવાને અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળે ઠરાવ કરેલો છે. આ માસિકના ગ્રાહકને આ રીતે બે લાભ થશે. પ્રથમ ઉપર જણાવેલા લેખેવાળું ડેમી ચાર ફર્મનું (૩૨ પાનાનું માસિક દર મહિને નિયમિતરીતે મળશે, તે સિવાય આવા પરોપકારી કાર્યમાં પિતાને સહેજ પણ ભાગ આપવા બદલનું પુણ્ય પ્રાપ્ત કરવાને ભાગશાળી થશે. - આ ઉદ્દેશની સમાપ્તિ કરતાં એકજ બાબત લખવાની રહી જાય છે, અને તે આ માસિકના નામ સંબંધમાં છે. આ માસિકને શું નામ આપવું તે સંબંધી વિચાર કરતાં જૈન ધર્મને બુદ્ધિગમ્ય ખુલાસો આપનારા લેખે આ માસિકમાં દાખલ કરવાના હોવાથી બુદ્ધિને લગતું નામ રાખવું. બુદ્ધિશબ્દ ની સાથે અનેક નામ જોડતાં છેવટે “ બુદ્ધિપ્રભા” એ નામ આ લેખકને એકાએક રyયું અને તે સર્વને પ્રિય લાગવાથી નિશ્ચિત થયું. તેને અંગ્રેજી પર્યાય Light of Reason (લાઈટ ઓફ રીઝન ) થાય છે; અને તે નામનું એક માસિક લંડન ખાતેથી જેમ્સ એલન નામના વિદ્વાન તંત્રીના હાથે પ્રગટ થાય છે. આ બુદ્ધિપ્રભા નામ રાખવામાં બીજો પણ એક આશય છે, જે વખત આવે પ્રકાશિત કરવામાં આવશે. જૈનેનું તત્ત્વજ્ઞાન અને નૈતિક સિદ્ધાંત. લેખક, પ્રોફેસર હર્મન જેકબી. 1. I , If it * * * 1 છે અ 1 1 લેકે જૈન તત્વજ્ઞાન નિહાળવા માંડે છે, તેઓમાં એ વિચાર દાખલ થવા પામેલ હોય છે કે, તે એક સ્થાયી &L વિચાર વગરના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતના ખીચડા સમાન દો છે, અને જે પદ્ધતિરહિત વિચારશ્રેણી છે, તે જગતમાં Bapa on શી રીતે પસાર પામી હશે, તે વિચારથી તેઓને આશ્ચર્ય ઉપજે છે, મેં જાતે પણ આવો અભિપ્રાય એક વખત બાંધે હતો અને * અનુવાદક. દેસી, મણિલાલ નભુભાઈ, બી, એ.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34