Book Title: Buddhiprabha 1909 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ છે, અને નરસાં ાનાં નરસાં ખીજ રૂપી પરિવારવર્ડ નરસી પર પરા ચાલે છે, જેમ ઉજ્જડ જમીનમાં પડેલાં કટક વૃક્ષનું એકાદ ખી પેાતાના પરિવાર સર્વત્ર ફેલાવે છે, અને વર્ષોનાં વર્ષો સુધી તેની પરપરા ચાલે છે તેમ સારાં નરસાં નૃત્ય ના વિચારની પરંપરા પણ તેવીજ ચાલે છે. વિચાર વા કૃત્યના સારા નરસાનો ભેદ ખહુ વિચારણીય અને મનનીય થઈ પડવાનું કારણ તેની સારી વા નરસી પરપરાને અવલખીને મુખ્યત્વે કરીને છે, જે કઇ સારૂં વા નરસું કાર્ય મનુષ્ય કરે છે વા જે કઇ સારા નરસા વિચાર શૈવે છે તેને પે તાની સાથે કંઇ પણ સંબધ નહેાય તેમ તે માનેછે; પરતુજેમ જમીનમાં નાંખેલુ ખી સૂર્યના પ્રકાશને જળની સહાયતા વડે નવપલ્લવ થાય છે; તેમ તે પશુ અનુકૂળ સંયેાગેા દ્વારા ખીલે છે. જેમ જમીનમાં પડેલું ખીજ ધૂળમાં ઢંકાયાથી નાશ પામેલુ જણાય છતાં વાસ્તવિક રીતે તેને નાશ થયેલા હેતા નથી. તેમજ હવા સાથે ભળેલા વિચાર પણ અદશ્ય થતા નથી. તેનાં સારાં નરસાં ફળ ભાગવવાં પડે એ ઉપરાંત (જેમ બનતુ ં આપણને દૃષ્ટિગાચર થાય છે તેમ) તે પણુ સારાં વા નરસાં (તદ્દનુકૂળ વિચારની શ્રેણીરૂપ)ભવિષ્યના વારસા-પાછળ મુકે છે. કરેલા કર્મા પણ પેાતાનું સુક્ષ્મરૂપ પાછળ રાખે છે, અને પુનઃ તેના સંચિત વિપાકેાદય આપણુને અનુભવવાની ક્રૂરજ પાડે છે; છતાં તે વાત બાજુ પર મુકીએ તે પણ ઇરાદાપૂર્વક કરેલાં સારા વા નરસા કૃત્યની અસર હૃદય પર ઉંડી પડે છે; કારણ કે કાઇ પણુ કૃત્ય કરતાં પહેલાં વિચાર રૂપે તેનુ વિચારરૂપ મનમાં રચાય છે; અને તેની તીવ્ર અને ઉત્કટ ઇચ્છા—સંકલ્પ થયે તે ક્રિયામાં મુકાય છે, કાઈ પણ વિચાર ક્રિયામાં મુકાતાં પહેલાં મનમાં ખુબ ધેાળાય છે, અને તેની તીવ્ર લાગણી ય. યે જ તે ક્રિયામાં મુકાય છે. કાર્યનુ સૂક્ષ્મ દેહ વિચાર દ્વારા ધડાય છે. માટે કાર્ય રૂપે ક્રિયા વિચારના કરતાં મન ઉપર દીર્ધ અસર ઉપજાવે છે, ક્રિયામાં ઈંદ્રિઓની સામેલગીરી હોય અને વિચાર તા ફક્ત મનજ રચે છે, ઈદ્રિયદ્વારા ક્રિયા કરતાં મન ઇંદ્રિયના ખાદ્ય વિષયને વિશેષ ટેવાતું થાય છે. તેનાપર બાહ્ય પદાર્થાની અસર વિશેષ થાય છે. બાહ્ય પદાથાના મન સાથે સ અધ કરાવનાર ઇંદ્રિયા છે, વળી ખાદ્ય વસ્તુના ઇંદ્રિયદ્રારા સંવેદનથી મનમાં વિચાર થતાં અને મનદ્વારા ઉદ્ભવેલી ક્રિયાની આજ્ઞા ઇંદ્રિયદ્વારા કર્તવ્યમાં મુકાતાં ઇંદ્રિયામાં પશુ તથા પ્રકારનું વલણ રહે છે. આથી સ્વપમાં સિદ્ધ થાય છે કે વિચાર કરતાં કાર્ય રૂપે ક્રિયા વિશેષ ઉત્કટ છે. તેથી વિચાર કરતાં કાર્ય રૂપે ક્રિયાની અસર બહુજ ઉંડી પડે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34