Book Title: Buddhiprabha 1909 04 SrNo 01
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 5
________________ શબ્દાદ્વારાએ દર્શાવ્યા પણ હતા. પણ હાલ જૈન તત્ત્વજ્ઞાનને જુદા દૃષ્ટિ બિન્દુથી જોતાં હું શિખ્યા છેં. તમારા વિચાર પ્રમાણે તેને પેાતાના પાયા માનસિક શાસ્ત્રપર રચાયેલા છે, અને તેથી કરીને તે બુદ્ધ અને બ્રાહ્મણ ધર્મના માનાંસક શાસ્ત્ર કરતાં તે તદન અલગ જણાઇ આવે છે. આ વિષય ઉપર થાડા વખત સુધી તમારૂ' ધ્યાન ખેંચવા માગુ છું. જૈન ધર્મનું છે, વટનું સ્વરૂપ જે તેના ચોવીસમા તીર્થંકર મહાવીરે આપ્યું, તે પૂર્વ હિન્દુસ્થા નના તે ભાગમાં નિશ્રિત થયુ` કે, જયાં તે અગાઉ ઉપનિષદના મત પ્રમાણે યાજ્ઞવલ્કય આત્મા અને બ્રહ્મ નિત્ય અને સ્થાયી છે, એવા બેધ આપ્યા હતે; અને જ્યાં મહાવીરના સમકાલીન ગાતમયુદ્ધ સઘળી વસ્તુઓની અનિયતા દર્શાવનાર સિદ્ધાંતનેા ઉપદેશ કરતા હતા. માટે આ પરસ્પર એક બીજાના અનાદર કરનાર સિદ્ધાંતના સંબંધમાં જૈન ધર્મને પણ અમુક અપેક્ષા ગ્રહણ કરવાની જરૂર પડી, અને આ ખાખત લંબાથી જણાવવી એ અતિ જરૂરનું છે. ઉપનિષદ્કારેાએ જે એક મહાન સત્ય શેાધી કહાડયું છે અને જેની પ્રશંસા કરતાં તે કદાપિ નિત્શાહી થતા નથી તે સત્ય એ છે કે શારીરીક તેમજ આધ્યાત્મિક સધળી વસ્તુઓમાં આતપ્રેતરૂપે રહેલુ અને ધારણ કરી રાખનાર એક સર્વત્ર સ્થાયી તત્ત્વ છે, જે નિર્વીકારી અને અદ્વિતીય છે. આ પરમ તત્ત્વ અને જગતની જડ વસ્તુ વચ્ચેના સં• બંધ વિધ ઉપનિષદ્કારાએ ખુલ્લી રીતે જણાવ્યું નથી, પણ નિષ્પક્ષપાતપણે વાંચનારા સઘળા કબુલ કરશે કે આ માયાવી જગતને પણ તેઓ સત્ય તરીકે માને છે. આ બાબત ઉપર વેદાંતની જુદી જુદી શાખાઓએ જુદા જુદા મત પ્રતિપાદન કરેલા છે. પણ આપણે તે સંબધી અત્રે ખેાલવાના અવકાશ નથી. બ્રાહ્મણેાના આ સ્થાયી અને નિત્યતત્વની વિરૂદ્ધ મુદ્દે એમ ઉપ દેશ આપ્યા કે સધળી વસ્તુઓ ક્ષણિક છે. તેના મરણુ વખતના શબ્દો ખ રેખર એ હતા કે સઘળી ઉત્પન્ન થએલી વસ્તુએ નાશવંત છે. સુધર્મ પ્રમાણે સઘળી વસ્તુની અંદર કાંઇક સ્થાયી તત્વ રહેલું છે, એમ માનવું તેજ મુખ્ય નારિતકતાનું લક્ષણ હતું. સઘળી વસ્તુએ માયાવી છે, અથવા બુદ્ધે જણાવ્યા પ્રમાણે જુદા જુદા ધમા છે; પણ કાઇ પણ ધર્માં નથી. એવે કોઇ પણ સ્થાયી પદાર્થ નથી કે જેના આ સર્વ ગુણ તરીકે લેખી શકાય.— આ પ્રમાણે બ્રાહ્મણેાએ અને મુદ્દાએ મૂળતત્વના સંબંધમાં વિરૂદ્ધ વિ ચારે। દર્શાવ્યા છે, પણ તેનું કારણ એ છે કે તેઓએ તે તત્ત્વને બે તદ્દન વિદ્ધ વિચાર દૃષ્ટિથી તપાસ્યું હતું. બ્રાહ્મણા તદ્દન કેવળબુદ્ધિને અ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34