________________
સંઘટ્ટામાં કવચિત્ વાડા વિ. માં ઠલ્લે જાય તો ઇટો વિ. હલન-ચલન થતી હોય તો તેની પર બેસાય નહી.. યોગ પ્રવેશ દિને પ્રવેશ પૂર્વે અને કાલગ્રહણ લીધા બાદ ચંડીલ જાય તો અડચણ નથી. દિવસ ન પડે. ઉત્તરાધ્યયનના જોગમાં ૪થા અધ્યયનના દિને એક જ (પભાઈ) કાલગ્રહણ લેવાય. સંઘટ્ટામાં બને ત્યાં સુધી માત્રકમાં માત્રુ ન જતાં ખુલ્લી જગ્યામાં જવું, હવે જો કુંડીમાં માત્રુ જાય તો સંઘટ્ટામાં પરઠવી શકાય નહી, પરઠવે તો સંઘટ્ટો જાય, અજોગી દ્વારા પરઠાવવી... આઉત્તવાય નહી લેનારને આઉત્તવાણય લેનાર યોગી સાથે ગોચરી - પાણીની આપ -લે ન કરે, પરસ્પર એકબીજાના સંઘઠ્ઠા સંબંધી કોઈ કાર્ય કરી શકે નહીં, તેને જો આઉત્તવાણય લેવડાવે તો વાંધો નહી.
યોગદ્વહન દરમિયાન તે શાસ્ત્ર અભ્યાસ સિવાય અન્યશાસ્ત્રાભ્યાસનો સ્પષ્ટ નિષેધ છે. (આચાર દિનકર) - દેવસૂર તપાગચ્છ સામાચારી સંરક્ષક, બહુશ્રુતોપાસક આગમોદ્ધારક
પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજા