Book Title: Bruhad Yog Vidhi Part 04 Kalik Yog
Author(s): Purnachandrasagarsuri
Publisher: Agamoddharak Foundation

View full book text
Previous | Next

Page 68
________________ પ્રથમ દત્તી ૭ કાલગ્રહણે બંધક નામની, બીજી દત્તી ૧૪- ૧ ૫ કાલાહાણે ચમરાની તથા ત્રીજી દત્તી ૪૮-૪૯ કાલગ્રહણે ગૌશાલાની કહેવાય છે. પ્રથમ દત્તીના બંને દિવસે પચ્ચખાણ લેતી વખતે.... ‘પણ તોડા: પત્તિએ આયંબિલ પચ્ચક્ખાઈ' એમ બોલવું.. બીજી દત્તીના બંને દિવસે પચ્ચકખાણ લેતી વખતે.... ‘છમ જોગો સપાછું ભોયણે પત્તિએ આયંબિલ પચ્ચકખાઈ” એમ બોલવું.. ત્રીજી દત્તીના બંને દિવસે પચ્ચખાણ લેતી વખતે..... ‘અમ જો ગો સપાણ ભોયણે પત્તિએ આયંબિલ પચ્ચખાઈ” એમ બોલવું.. ચમરાની દત્તીમાં કાઉસ્સગ્નનું વિધાન છે, હાલ આચરણા ન હોવાથી કરાતો નથી.. દત્તીના દિને સંઘટ્ટા સમયે ઝોળીમાં ૧ પાત૩ + ૧ લોટ લેવાનું વિધાન છે. તેનાથી વધુ પાત્ર ન લેવાય. દત્તીના દિને પ્રથમ પાણી વહોરવું, બાદમાં ગોચરી વહોરવી દત્તીમાં વહોરાવનાર હોંશીયાર - કુશળ તથા ઉપયોગવંત શ્રાવક રાખવો, હાથ થરથરે કે ધાર તૂટે તેવાના હાથે ન વહોરવું.. દત્તીમાં પાણી અખંડ ધારથી વહોરવાનું છે, ધાર અટકી જાય તો તેટલા 111ણીથી ચલાવી લેવું. પરંતુ અટક્યા પછી ફરી ધાર કે પાણીનો છાંટો લોટમાં પડે તો ચૌવિહારો ઉપવાસ કરવો પડે. ભોજન દત્તીમાં એક સાથે એક જ પાત્રમાં વહોરે, જો વહોરતા યો ડું જ વહોરાય તો તેટલાથી ચલાવી લે, જો નીચે દાણો પડે કે ફરીથી તેમાં વહોરે તો તિવિહારો ઉપવાસ કરવો પડે. (દા.ત. :- એક ઘરેથી એક સાથે અમુક સંખ્યામાં અમુક રોટલી વહોરી લેવી) દત્તીમાં ઈંડીલ આદિના વિશેષ કારણે, ગોચરી - પાણી વહોરી આપ્યા બાદ બીજાને સંઘટ્ટ લેવડાવી, તેને આપી ચંડીલ આદિની ક્રિયા પતાવી પછી વાપરી શકે.. પ્રત્યેક દની ઠામ ચૌવિહારી હોવાથી ઝોળી મુક્યા પછી ચૌવિહારનું પચ્ચકખાણ લેવું તથા સાંજે (પણાની) ક્રિયામાં પણ ચૌવિહારનું પચ્ચખાણ જ લેવું.

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94