________________
૧૨.
દોષ છે નહીં.
પ્રશ્નકર્તા : કાળનો દોષ ખરોને !
દાદાશ્રી : કાળનો ય દોષ શેનો ? ભોગવે એની ભૂલ. કાળ તો ફર્યા જ કરવાનો ને ? કંઈ સારા કાળમાં નહોતા આપણે ? ચોવીસ તીર્થંકર હતા ત્યારે નહોતાં આપણે ?
પ્રશ્નકર્તા : હતા.
દાદાશ્રી : તો તે દહાડે આપણે ચટણી ખાવામાં પડી રહ્યા. એમાં કાળ શું કરે બિચારો ! કાળ તો એની મેળે આવ્યા જ કરવાનો ને ! દહાડે કામ ના કરીએ તો રાત આવીને ઊભી રહે કે ના રહે ?
પ્રશ્નકર્તા : રહે.
કાઢો જોઈએ ? કોણે કર્યું આ ?
એટલે એક જ શબ્દ અમે લખ્યો છે કે આ દુનિયામાં ભૂલ કોની છે ? પોતાને સમજવા માટે એક વસ્તુને બે રીતે સમજવાની છે. ભોગવે તેની ભૂલ એક રીતે ભોગવનારને સમજવાની છે અને જોનારે ‘હું એને મદદ કરી શકતો નથી, માટે મદદ કરવી જોઈએ.’ એવી રીતે જોવાનું છે.
આ જગતનો નિયમ એવો છે કે આંખે દેખે, તેને ભૂલ કહે છે અને કુદરતનો નિયમ એવો છે કે કોણ ભોગવે છે, તેની ભૂલ છે.
અસર થાય ત્યાં. જ્ઞાત કે બુદ્ધિ ? પ્રશ્નકર્તા : છાપામાં વાંચીએ કે ઔરંગાબાદમાં આમ થયું કે મોરબીમાં આમ થયું તો આપણને જે અસર થાય, તો વાંચ્યા પછી કંઈ પણ અસર ના થાય એની, તો એ જડતા કહેવાય ?
દાદાશ્રી : અસર ના થાય, એનું નામ જ જ્ઞાન. પ્રશ્નકર્તા અને અસર થાય, એને શું કહેવાય ?
દાદાશ્રી : એ બુદ્ધિ કહેવાય. એટલે સંસાર કહેવાય. બુદ્ધિથી ઈમોશ્નલ થાય. પણ ધોળવાનું કશું ય નહીં.
આ અહીં આગળ છે તે, ત્યાંથી બધા આવતા'તા, બોમ્બ નાખવા માટે પાકિસ્તાનથી, તે આપણા લોકો, પેપરમાં વાંચે કે ત્યાં આગળ આમ પડ્યું તો અહીં ગભરામણ થાય. આ બધી જે અસરો કરે છે, એ એમની બુદ્ધિ છે ને બુદ્ધિ જ આ સંસાર ઊભો કરે છે. જ્ઞાન અસરમુક્ત રાખે, પેપર વાંચે, છતાં અસરમુક્ત રહે. અસરમુક્ત એટલે આપણને અડે નહીં. આપણે તો જાણવાનું-જોવાનું જ છે.
આ પેપરને શું કરવાનું ? જાણવાનું અને જોવાનું, બસ ! જાણવાનું એટલે ખુલ્લું જે વિગતવાર લખ્યું હોય, એનું નામ જાણ્યું કહેવાય અને વિગતવાર ના હોય ત્યારે એ જોયું કહેવાય. એમાં કોઈનો
દાદાશ્રી : પછી રાતે બે વાગે ચણા લેવા મોકલીએ, ડબલ ભાવ આપીએ તો ય કોઈ આપે ?
લોકોને લાગે, આ ઊંધો ન્યાય ! હમણે એક સાઈકલવાળો જાય છે, તે પોતાના રાઈટ વે(સાચા રસ્તા) ઉપર છે અને એક સ્કૂટરવાળો ઊંધે રસ્તે આવ્યો, રોંગ વે(ખોટા રસ્તા)થી અને પેલાનો પગ તોડી નાખે. હવે ભોગવવાનું કોને આવ્યું?
પ્રશ્નકર્તા સાઈકલવાળાને. જેનો પગ તૂટ્યો હોય એને.
દાદાશ્રી : હા. આ બે જણમાં કોને ભોગવવું પડે છે આજે ? ત્યારે કહે, પગ તૂટ્યો તેને. એને આજે આગળનો હિસાબ મળ્યો, આ સ્કૂટરવાળાના નિમિત્તે. હવે પેલાને અત્યારે કશું દુઃખ નથી. એ તો જ્યારે પકડાશે ત્યારે એનો ગુનો જાહેર થશે. પણ જે ભોગવે એની ભૂલ.
પ્રશ્નકર્તા : જેને વાગ્યું, એનો શું ગુનો ? દાદાશ્રી : એનો ગુનો, આગળનો હિસાબ એનો, તે આજે ચોખ્ખો