Book Title: Bharatiya Abhilekh Vidya
Author(s): Hariprasad G Shastri
Publisher: University Granth Nirman Board

View full book text
Previous | Next

Page 407
________________ ૩૭૬ ભારતીય અભિલેખવિદ્યા અર્થઘટન અને સંશોધન આથી અભિલેખમાંથી ઉપલબ્ધ થતી માહિતીને ઉપયોગ કરતાં પહેલાં પૂરતી સાવધતા રાખવી પડે છે, જેમ બીજાં સાધનોને ઉપગ કરતાં રાખવી પડે તેમ. કઈ પણ છૂટક અભિલેખમાંથી મળતી હકીકતને અન્ય લેખો તથા સાધનો પરથી મળેલી નિશ્ચિત હકીકત સાથે સરખાવીને એની શ્રદ્ધેયતા ચકાસવી પડે છે ને એ બે વચ્ચે વિરોધ કે અસંગતિ માલૂમ પડે, તો એની તુલનાત્મક શ્રદ્ધેયતા નક્કી કરવી પડે છે. આ સિદ્ધાંત ઈતિહાસ-સંશોધનનાં સર્વ સાધનોને લાગુ પડે છે. ઈતિહાસના અન્વેષણમાં એને ઉપયોગી નીવડે તેવી હરકેઈ સામગ્રીને એના કાચા સ્વરૂપમાં સ્વીકારી ન લેવાય, એને સર્વશઃ ચકાસીને એનું સંશધન (શુદ્ધીકરણ) કરવું પડે ને એ પછી જ એ શુદ્ધ કરેલી સામગ્રીનો આધાર લઈ શકાય. દરેક પ્રકારની સામગ્રીના અર્થઘટનમાં લેખકના અંગત રાજકીય કે સાંપ્રદાયિક રાગદ્વેષને ખ્યાલમાં રાખીને જ એની યથાર્થતા કે શ્રયતાને અંગીકાર થઈ શકે. આથી ઇતિહાસના અન્વેષણ અને નિરૂપણ વચ્ચે સંશોધન ઘણું મહત્વ ધરાવે છે. પાદટીપ ૧, મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. ૫૧૦-૫૧૯; प्राचीन भारतीय अभिलेखोंका अध्ययन, ख. १, पृ. ७८-८४ ૧ અ. S. I, Book III, Nos. 18, 19, 36 and 39 ૨. હ. ગ. શાસ્ત્રી, “મૈત્રકકાલીન ગુજરાત,” પ્ર. ૭ ૩. હ. ગં. શાસ્ત્રી, “ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ” પૃ. ૧૫૩–૧૫૫ ૪. એજન, પૃ. ૨૨૯-૨૪૧ ૫. I. E., pp. 388 ff; પ્રાચીન મરતીય મિલ્લા મધ્યયન, સં. ૧, પૃ. ૮૫-૮૮ ૬. સામાન્યતઃ ૧ દંડ= હસ્ત ૭. જુઓ ઉપર પૃ. ૩૧૮. ૮મૈત્રકકાલીન ગુજરાત, ભા. ૨, પૃ. પર૫–૫૨૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470