________________
થાય છે. આથી સમજી શકાશે કે કૂપખનનની જેમ અહીં પણ દોષ દોષ૩૫ રહેતો નથી.
શક્કાકારે જણાવ્યું હતું કે પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર નથી. એના જવાબમાં અહીં જણાવ્યું છે કે મંત્રસ્મરણ, અગ્નિનું સેવન અને વિદ્યાનો અભ્યાસ કરવાથી મંત્ર, અગ્નિ કે વિદ્યાને કોઈ લાભ ન હોવા છતાં તેના કર્તાને (સ્મરણાદિ કરનારને) વિષની બાધાનો પરિહાર, શીતનો અપહાર અને વિદ્યાની સિદ્ધિ સ્વરૂપ લાભ જેમ પ્રાપ્ત થાય છે તેમ પૂજાથી ભગવાનને કોઈ જ ઉપકાર ન હોવા છતાં પૂજા કરનારને વિશિષ્ટ પુણ્યનો લાભ થાય છે.
ન
પૂજાને વ્યર્થ જણાવવા શંકાકારે ભગવાનની કૃતકૃત્યતા જણાવી હતી પરંતુ તે ઉચિત નથી. કારણ કે ભગવાન કૃતકૃત્ય હોવાથી જ સર્વોત્કૃષ્ટ ગુણોના સ્વામી છે. એ ગુણોના ઉત્કર્ષને લઈને જ ભગવાનની પૂજા સફળ છે, વ્યર્થ નથી. આથી સ્પષ્ટ થાય છે કે પોતાના શરીરાદિ માટે અનેક જાતિના આરંભ કરનારા એવા નિર્મળમતિવાળા ગૃહસ્થોને માટે પૂજા દુષ્ટ નથી, પરંતુ વિશિષ્ટ લાભનું કારણ છે. પ-૨ા
આ રીતે પૂજા જો વિશિષ્ટ લાભનું કારણ હોય તો પૂ. સાધુભગવંતોને પણ તેનો અધિકાર હોવો જોઈએ ને ? આવી શકા કરવા પૂર્વક તેનું સમાધાન જણાવાય છે
-
यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।५-२८ ॥
આ રીતે સાધુભગવંતને પણ પૂજાના અધિકારી માનવા જોઈએ; કારણ કે પૂજા માટે કરાતાં સ્નાનાદિમાં કોઈ દોષ નથી : આવી શંકા કરવી ના જોઈએ. કારણ કે પૂ. સાધુભગવંતો સર્વથા ભાવસ્ત
66
GL LLLLL L
DUGGLE
૫૩
DVADOR CLALALALALA D7999]