________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નેગબાણો ને પયોધર, નાભિ ને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણા, છટકેલ થઈ જોયા અતિ. ૧૩ મૃગનચણી સમ નારીતણા, મુખચંદ્ર નિરખવા વલી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગાઢો અતિ, તે મૃતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બચું કેમ હું આ પાપથી ? ૧૪ સુંદર નથી આ શરીર કે, સમુદાચ ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો, દેદીપ્યમાન પ્રભા નથી, પ્રભુતા નથી તો પણ પ્રભુ!, અભિમાનથી અક્કડ ફરું, ચોપાટ ચાર ગતિ તણી, સંસારમાં ખેલ્યા કરું. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપ બુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે, ઓધષ વિષે કરું યત્ન પણ હું, ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી, વળી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વીની કટુ વાણી મેં ધરી, કાન પીધી સ્વાદથી, રવિ સમ હતા જ્ઞાને કરી પ્રભુ, આપશ્રી તો પણ અરે, દીવો લઈ કૂવે પડ્યો ધિક્કાર છે મુજને ખરે. ૧૦ મેં ચિત્તથી નહિ દેવની કે, પાત્રની પૂજા ગ્રહી, ને શ્રાવકો કે સાધુઓનો, ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં, રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણા કુત્તા સમું મમ, જીવન સહુ એળે ગયું. ૧૮ હું કામધેનુ કલ્પતરુ, ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં પંખ્યો ઘણું, બની લુબ્ધ આ સંસારમાં, જે પ્રગટસુખ દેનાર હારો, ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નિહાળી, નાય કર કરુણા કંઈ. ૧૯
For Private And Personal Use Only