Book Title: Atmano Adhyatmik Vikaskram
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ ૭૬ ] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા લક્ષ્યથી સર્વથા શૂન્ય હોય છે. જેવી રીતે દિશાશ્રમવાળો મનુષ્ય પૂર્વને પશ્ચિમ માની ગતિ કરે છે અને પિતાના ઈષ્ટ સ્થાનને નહિ પામતા એને બધે શ્રમ વૃથા બને છે, તેવી રીતે પ્રથમ ભૂમિકાવાળો આત્મા પરરૂપને સ્વરૂપે સમજી એને મેળવવાને પ્રતિક્ષણ અનુરક્ત રહે છે અને વિપરીત દર્શન યા મિથ્યાષ્ટિનું કારણ રાગદ્વેષની પ્રખેલતાને શિકાર બનીને તાત્વિક સુખથી વંચિત રહે છે. આ ભૂમિકાને શ્રી જૈનશાસનમાં “બહિરાત્મભાવ” કિંવા “મિથ્યાદર્શન” કહેવાય છે. આ ભૂમિકામાં જેટલા આત્મા વર્તમાન હોય છે એ બધાની આધ્યાત્મિક સ્થિતિ એક જ સરખી હોતી નથી, અર્થાતુ બધા ઉપર સામાન્યતઃ મેહની બને શક્તિનું આધિપત્ય હોચે છતે પણ થોડેઘણે તરતમભાવ અવશ્ય હોય છે. કેઈ પર મોહને પ્રભાવ ગાઢતમ, કેઈ પર ગાઢતર અને કઈ પર એનાથી પણ ઓછા હોય છે. વિકાસ કરે એ આત્માને પ્રાયઃ સ્વભાવ છે. એથી કરી જ્યારે જાણતાં કે અજાણતાં આત્મા ઉપરથી મોહને પ્રભાવ કમ થતે આવે છે, ત્યારે કંઈક વિકાસની તરફ અગ્રેસર થાય છે અને તીવ્રતમ રાગદ્વેષને કંઈક મન્દ કરીને મોહની પ્રથમ શક્તિને છિન્નભિન્ન યોગ્ય આત્મબળ પ્રગટ કરી લે છે. આવી સ્થિતિને જૈનશાસ્ત્રમાં “ગ્રન્થિભેદ” કહેવાય છે. પ્રન્થિભેદનું કાર્ય અતિ વિષમ છે. રાગદ્વેષરૂપ તીવ્રતમ વિષગ્રંથિ એક વાર શિથિલ યા છિન્નભિન્ન થઈ જાય તો બેડે પાર થયે સમજ, કારણ કે–ત્યાર બાદ મેહની પ્રધાન શક્તિ દર્શનમોહને શિથિલ થવામાં વાર લાગતી નથીઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12