Book Title: Atmano Adhyatmik Vikaskram
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ૭૮ ]. શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા ત્રણે અવસ્થાઓને અનુભવ પ્રાયઃ બધાને હોય છે. કેઈ વિદ્યાર્થી ધનાથ યા કીતિકાંક્ષી જ્યારે પિતાના ઈષ્ટની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરે છે, ત્યારે કાં તે વચ્ચે અનેક કઠિનતાઓ જોઈને પ્રયત્નને છોડી દે છે યા તો કઠિનતાઓને પાર કરીને ઈષ્ટપ્રાપ્તિના માર્ગ પર અસર થાય છે. જે અગ્રેસર થાય છે, તે માટે વિદ્વાન, ધનવાન યા કીતિશાળી બને છે. જે કઠિનતાઓથી ડરીને પાછો ભાગે છે, તે પામર, અજ્ઞાની અને કીતિહીન બની રહે છે. અને જે કઠિનતાએને ન તે જીતી શક્તિ કે ન તે હાર ખાઈ પાછા ફરતે, તે સાધારણ સ્થિતિમાં જ પડી રહી કેઈ ધ્યાન ખેંચવા યોગ્ય ઉત્કર્ષ યા લાભ પ્રાપ્ત કરી શક્તો નથી. આ ભાવને સમજાવવાને શાસ્ત્રમાં એક દૃષ્ટાંત આપેલું છે. તે એ છે કે-કેઈ ત્રણ પ્રવાસી અમુક નગર તરફ નીકવ્યા છે. ચાલતાં ચાલતાં તેઓ ઉપદ્રવથી ભયંકર અટવીમાં આવી ચડે છે. તેમના આગમનની રાહ જોઈને જ બેસી રહ્યા હોય એમ બે ચારો તેમને પકડવા દોડી આવે છે. આ બન્નેને આવતાં જોઈ ભયભીત થયેલ એક મનુષ્ય તે સત્વર પિબારા ગણી જાય છે, બીજે માણસ તે ચેરેના પંજામાં સપડાય છે, જ્યારે ત્રીજો પુરુષ તે અસાધારણ પુરુષાર્થ ફેરવીને બે ચરોને હંફાવી–હરાવી અટવી ઓળંગી ઈષ્ટનગરે જઈ પહોંચે છે. આ દૃષ્ટાન્તને ઉપનય એ છે કે-ત્રણ મનુષ્ય તે સંસારી જી, ભયંકર અટવી તે સંસાર, બે ચેર તે રાગદ્વેષ, ચેરેનું નિવાસસ્થાન તે ગ્રથિદેશ, ચારોથી બીજે ભાગી જનારે મનુષ્ય તે મલિન અધ્યવસાયના ગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12