Book Title: Atmanand Prakash Pustak 062 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞા ને મનુષ્યનું જ્ઞાન, કઈ કઈ પ્રસંગે, કેટલેક અંશે પિતાના મૂળ અને પરમ પવિત્ર સ્થાન ઈશ્વરના જ્ઞાનને પહોંચી શકે છે અને આ સંબંધ, જ્યારે કેઈક હાનિકારક વસ્તુને પિતાથી ઊલટું જ જે સુખ તે ઉત્પન્ન કરવાનું સાધન બનાવી દેવાય છે, તે કરતાં વિશેષ કવચિત જ દીપી ઊઠે છે. ઉદાહરણ તરીકે જોઈએ તે મહાસાગર કરતાં બીજી કઈ વસ્તુ દેશદેશના લેક વચ્ચે સંબંધ થવામાં વધારે અંતરાયરૂપ છે? પણ શોધકબુદ્ધિએ દેશદેશની ગરજ પૂરી પાડવાનું તથા તેને નિકટ સંબંધ વધારવાનું, ઉત્તમમાં ઉત્તમ અને સરલમાં સરલ સાધન તેને જ બનાવ્યું છે ! વરાળ કરતાં વધારે જેસવાળું બીજું શું છે? અને અગ્નિ કરતાં વધારે નાશકારક બીજું શું છે? પવન જેવું અનિશ્ચિત બીજું શું છે? અને જલતરંગ જેવું બીજું સ્વતંત્ર શું છે? છતાં આ જ વસ્તુઓને કલા ને જીવનની જરૂરિયાતે, સુખ અને મોજમજા પણ પૂરી પાડવાનાં સાધન કરી દીધાં છે ! આરસના પત્થર જેવું અચેતન, જડ અને કઠિન બીજું શું છે? તો પણ શિલ્પકાર તેને જ સચેતન કરી, અનંત પ્રેમમય વિતવાળો કરે છે. રંગ જેવું ચંચળ બીજું શું છે? તેજ જેવું બીજું ત્વરાવાળું શું છે? કે છાયા જેવું નિસાર ? આમ છતાં પણ કોઈ રહેલની પીંછી આવી મિથ્યા નિસાર વસ્તુઓને પણ સારવાળી સશરીર કરી તેમાં જીવ આપી શકે છે, તેનામાં અમર જીવન સ્થાપે છે; વર્ષ જતે વિશેષ દીપે તથા પેઢી દર પેઢી અધિકાધિક મેહ ઉપજાવે તેવું સૌંદર્ય સમપે છે. ટૂંકામાં એટલું જ કે બુદ્ધિ અંતરાયમાંથી પ્રતિકાર શોધી કાઢે છે. વિનામાંથી નવી યોજના રચે છે, ભયમાંથી નિર્ભયતા પેદા કરે છે. ઉષરમાંથી અન્ન પકવે છે, ને વિષમાંથી અમૃત પીએ છે તેના હાથમાં આવે તે સર્વ વસ્તુ પોત પિતાના ગ્ય નિગથી દીપી ઊઠે છે, ઉપયોગથી તાબે થાય છે, અને કામે લાગવાથી સુખકર નીવડે છે. લેડ ચેસ્ટરફીડ: સમર્પણમાંથી સાભાર) પ૪ આત્માનંદ પ્રકાશ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21