Book Title: Atmanand Prakash Pustak 045 Ank 05
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તેઓશ્રીને કેટલાક આગલા ગ્રંથ સિલીકમાં હોય તે પણ ભેટ અપાય છે. અને તેઓશ્રીને હવે પછી પ્રકટ થતાં નવા સાહિત્યના ઉચા પ્રકારનાં અનેક ગ્રંથે પણ ભેટ મળશે. આત્માનંદ પ્રકાશમાં ફોટા સાથે તેઓશ્રીનું જીવનવૃત્તાંત તે જ વખતે આપવામાં આવે છે. ધારા પ્રમાણે ઓઈલ પેઈન્ટીંગ ફેટે તેઓશ્રીના તરફથી મળે તે સભાના વિશાળ મકાનમાં સ્થાપિત કરવામાં આવે છે. વગેરે કારણેથી આ બે વર્ષમાં પેટ્રન સાહેબની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. ૨ પ્રથમ વર્ગના લાઈફ મેમ્બરે ૩૪૧, અને બીજા વર્ગના લાઈફ મેમ્બરે ૧૭૫ છે. ત્રીજા વર્ગના ૭ અને વાર્ષિક સભ્ય ૨૬ છે. પ્રથમ અને બીજા વર્ગના લાઈફ મેમ્બરોને ધારા પ્રમાણે ઉદારતાથી પ્રકાશન ગ્રંથ ભેટ અપાય છે. તે સમજી, જાણ, વાંચી દર વર્ષે અનેક જૈન બંધુઓની તે બંને વર્ગોમાં વૃદ્ધિ થતી જાય છે. અત્યારે છાપકામના તમામ સાધનોની મોંઘવારી વધતી જતી હોવા છતાં માટે ખર્ચ થાય છે, છતાં તે બંને પ્રકારના સભાસદેને ધારા પ્રમાણે સભાસદ થયાં પછીના સર્વ નવા નવા સુંદર ગ્રંથો ભેટ અપાયે જાય છે. લાઈફ મેમ્બરોના બે વર્ગો ધારવા પ્રમાણે બીજી કોઈ સંસ્થામાં નથી તેમ તે તે વર્ગોના સભાસદોને ભેટ આ સભાની જેમ કોઈ આપી શકતું નથી. હકીકત એ છે કે પ્રથમ વર્ગના લાઇફ મેમ્બરોનું (રૂા. ૧૦૧) નું વ્યાજ દર વર્ષે બેજ રૂપિયા આવતું હોવા છતાં, હાલ વિશેષ માંધવારી છાપવાનાં કામમાં વધેલી હોવાથી સભા તરફથી છપાતાં સીરીઝના ગ્રંથની લડાઈ પહેલા અને દરમ્યાન લેવાયેલી એક હજારની રકમના હાલ ત્રણ હજાર, બે હજારની રકમનાં છ હજાર, ત્રણ હજારની લેવાયેલ રકમનાં શુમારે નવ હજાર તે તે ગ્રંથોમાં ખર્ચ થતો હોવાથી (વિશેષ રકમ સભાને ઉમેરવી પડે છે છતાં) ધારા પ્રમાણે પ્રથમ વર્ગનાં લાઈફ મેમ્બરને ગમે તેટલી કિંમતના ગ્રંથે ફી અને બીજા વર્ગના લાઇફ મેમ્બરને બે રૂપિયા સુધીના કોઈપણ ગ્રંથ ભેટ અને વધારાની કિંમતના ગ્રંથની કિંમતમાંથી બે રૂપીયા ભેટના બાદ કરી બાકીની કિંમત લઈ ભેટ અપાય છે. વાંચકે જોઈ શકશે કે તેવી ઉદારતા (મુશ્કેલી હોવા છતાં) ભેટના પ્રથે માટે - આ સભા બતાવી શકે છે. અમારા સભ્યોને મંથે ભેટ આપતાં જ્ઞાનખાતાને દેવ આપનાર લેનારને ન લાગે તે ધ્યાનમાં રાખીને જ અપાય છે. ત્રીજા વર્ગના લાઈફ મેમ્બરને વર્ગ ઘણા વર્ષો પહેલાં હતા તે કમી કરવામાં આવેલ છે, તેમાં સાત સભ્ય છે. ૪ વાર્ષિક સભ્ય, ૨૬ છવ્વીશ છે. પણ મેઘવારીને અંગે માસિક વગેરેમાં તૂટ પડતાં હવે પછીના વર્ષથી લવાજમ વાર્ષિક રૂ. ૫) રાખવામાં આવેલ છે. શ્રી આત્મારામજી જૈન ક્રી લાયબેરી–જેમાં આખર સાલ સુધીમાં નવ વર્ગોમાં તેની સંખ્યા અને કિંમત સાથે નીચે મુજબ આપવામાં આવેલ છે. નવા ગ્રંથે ખરીદી લાઇબ્રેરીમાં દાખલ કરવામાં આવે છે. પેપર કુલ ૫૦ નીયમિત આવે છે. જૈન જૈનેતર બંધુ ફી લાભ સારી સંખ્યામાં લે છે. વર્ગ ૧ લે જૈન ધર્મના છાપેલા પ્રથ ૨૭૯૭ કિંમત રૂ. ૧૯૫૧-૨-૦ વર્ગ ૧ લે છે , પ્રતાકારે ૭૨૭ ૧૨૩૨-૨-૦ વર્ગ ૨ જો આગમો ૨૯૯ ૧૬૪૧-૧૦-૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45