________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
सत्यासत्य गवेषणा ।
બીજાને દુભવવાથી માનસિક હિંસાના કારણ અને છે.
ટૂંકામાં સત્ય વચન એવું હાવુ જોઇએ કે તેમાં મન અને વચનની એકતા ( correspondence) હાવી જોઇએ. તે વચન તત્ત્વની દૃષ્ટિએ, સામાન્ય સમજ ( emperio અથવા common sense )ની દૃષ્ટિએ અને નીતિ અને ધર્મની દૃષ્ટિએ ખાટું અથવા નિંદા કરવા જેવું ન હાવુ જોઈએ.
BR
એક એવા સવાલ ઊભા થાય છે કે સત્ય ખેલવા માટે આટલી બધી મર્યાદાઓ મૂકેલ છે; કેટલેક પ્રસંગે: સત્ય કથનને પણ અસત્ય માનેલ છે. અસત્ય ખેલવાની પણ મનાઇ કરેલ નથી. તા સત્યની અપૂર્વ પ્રશંસા જે શાસ્ત્રોમાં જોવામાં આવે છે તેના શુ' અર્થ છે? દાખલા તરીકે મહાભારતના શાંતિપર્વમાં કહ્યું છે કેસત્યે પ્રતિષ્ઠિતા હોરા, ધર્મ: સત્યે પ્રતિષ્ઠિત सत्ये प्रतिष्ठितं ज्ञानं, सर्व सत्ये प्रतिष्ठितम् ॥
નાસ્તિ સત્યાત્ પો ધર્મ: જ્ઞાનૃતાત્પાતનૢ પરમ્ ચાણક્ય નીતિમાં કહ્યું છે કે
॥
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रविः । સત્યેન વાયવો વાન્તિ, સર્વ સત્યે પ્રતિષ્કૃિતમ્ સત્યમાં લેાકેા પ્રતિષ્ઠિતા પામેલ છે. સત્યમાં ધર્મ અને જ્ઞાન પ્રતિષ્ઠિતા પામેલ છે; સત્યથી બીજો શ્રેષ્ઠ ધર્મ નથી. અસત્યથી બીજું મોટુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાપ નથી. પૃથ્વી સત્યથી ટકી રહેલ છે. સૂર્ય સત્યથી તપે છે. વાયુ સત્યથી વાય છે. સર્વના આધાર સત્ય છે.
Ge
ઉપર પ્રમાણે સત્યની જે પ્રશ ંસા જુદા જુદા શાસ્ત્રોમાં જોવામાં આવે છે, તેના એવા અર્થ કરવાના છે કે સત્યતા (truthfulness) એક સદ્ગુણ તરીકે (in abstract) ઉત્તમાત્તમ છે. દરેક માણસે સત્યપ્રિય થવુ જોઇએ,—સત્યના ઉપાસક થવુ જોઇએ; પણ સત્યપ્રિયતા અને સત્યપ્રિય-તથ્ય ખેલવાણુ Truthfulness & True—telling જુદી જુદી વસ્તુઓ છે, માણુસ સત્યપ્રિય હોય છતાં અમુક પ્રસંગે સાચુ કહેવાથી માટી હાનિ થતી હાય તા સાચું ન કહેવાથી તેની સત્યપ્રિયતા ઓછી થતી નથી. એટલે જુદા જુદા શાસ્ત્રોમાં સત્યની જે પ્રશંસા કરેલ છે, તે સદ્ગુણ તરીકે સત્ય truthfulnessની પ્રશ'સા કરેલ છે. એક ઉત્તમ સદ્ગુણ તરીકે સત્યને સ્થાપી વ્યવહાર વખતે આપણા વચનની આંકણી કરવાની છે, અને અહિંસાદિ ઉચ્ચતર વ્રત સાથે તથ્ય ખેાલવાથી વિરાધ આવતા હાય તેા અક્ષર્શ: સત્ય ન બેાલવાથી પણ સત્યવ્રતને હાનિ થતી નથી.
હવે બીજો સવાલ સત્ય શા માટે ખેલવું અને અસત્યથી શા માટે વિરમવું તે જોવાના રહે છે. ( ચાલુ :)
સાભાર સ્વીકાર.
૧. પસલી (રાસ-ગીતા) કોં અને પ્રકાશક ઉમેશ કવિ, રામવાડી--ભાવનગર. કિ. રૂા.૦×૧૨-૦૦ ર. ડારિયા ( રાસ-ગીતા ) લેખક: જગદીશચંદ્ર વિરાણી, પ્રકાશક જગદીશચંદ્ર દ્વારકાપ્રસાદ વિરાણી, માણેકવાડી, ૫૭૩, ભાવનગર. કિંમત રૂા, ૧-૪-૦.
૩. દિવ્ય દર્શન ( ખંડ ૧-૨ ) લેખક અને સંગ્રાહક : શ્રી જિભિકખુ, પ્રકાશક શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–સાવરકુંડલા. કિ`મત અમૂલ્ય.
૪. સદ્દગતીની ચાવી-પ્રકાશક જૈન સેવા સમાજ-ટીંટાઈ. કિ ંમત અમૂલ્ય.
For Private And Personal Use Only