Book Title: Atmanand Prakash Pustak 015 Ank 04
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી આત્માનંદ પ્રકાશ જે કાંઈ રહેલું છે તેને બાહ્ય સૃષ્ટિમાં બહિર્ભાવ કરવા માટે મથી રહ્યા હોય છે તેઓ જ્યારે કામ કરતા હોય ત્યારે તેમને નથી હોતું ભૂખનું ભાન કે નથી હોતું શીત, ગરમી કે વર્ષાનું ભાન. કાળની ગતિ પણ તેમના માટે અર્થ રહિત હોય છે. કેટલે સમય વીત્યે, મારા નીમેલા સમય કરતા મે વધારે વાર કામ તો નથી ખેચ્યું ને એવો ખ્યાલ સખે પણ તેમને આવતો ન. તેમના કાર્યમાં, અને કાર્યથી ઉત્પન્ન થતા રસમાં તેઓ તલ્લીન હોય છે. આત્મ-પર્યાપ્ત હોય છે. પેટને ખાતર આ બધા ધામા ઉધામા કરવા પડે છે.” એવું પામરનું કથન કે કાયરની ભાવના તેમના આત્મામાં કદી પ્રવેશતું નથી. પિટના ખાડા પુરા એ તેમના મનથી છેકજ ગણ અકિંચિકર વિષય છે. કપાસનું વાવેતર જેમ ખેડુત સાડીઓને ખાતર કરતું નથી, તેમ છતાં સાંઠીઓ આવીજ મળે છે, તેમ નિર્વાહ-સામગ્રી તે પુરૂષોને તેમના કાર્યમાંથી મળી જ રહે છે તેમનું કાર્ય નિર્વાહને ખાતર નહી પણ કાર્ય માંહેના રસને ખાતર, આનંદને ખાતર હોય છે. જેમણે દુનીઆમાં કાંઇક વિજય મેળવ્યો છે, પ્રવૃતિની કોઈ એકાદ શાખામાં અગ્રણી હોય છે તેઓ અવશ્ય જાણે અજાણે પરિણામમાં આસક્તિ હિત અને કામમાં રસ સમજીને કામ કરનાર હોય છે. અલબત તેમનું પરિણામ તેમને મળેલું હોય છે, છતાં તે પરિણામ કામમાં રસમય ને લીધે મળ્યું હોય છે, નો કે પરિણામ મેળવવાની હાયવરાળ રાખવાથી. દુનીઅ.ના બધા મહા કાર્યો આમ જ થયા છે અને એમ જ થવા યોગ્ય છે. ઘણા અપગ્ન મનુષ્ય એમ માનતા હોય છે કે “ આ ધ પરિણામે કાર્ય કરનારા પુરૂષે માત્ર પોતાની ભાવનાની સૃષ્ટિમાં જ વિહાર કરનાર હોય છે. દુનીઆદારીના વ્યવહારૂ અને ના તોડ તેવા માત્ર ભવ્ય સ્વપ્નોના આદમીઓથી કદી બને નહી. તત્વના પ્રદેશમાં વિચરનારના અંતઃકરણમાં માત્ર ર્કોના કકડા વણના હોય છે. તેમનું જીવન–વસ્ત્ર માત્ર ભાવનાઓના જ વાણીતાણાથી વણાએલું હોય છે, ટુંકામાં જગતના વ્યવહારીક ક્ષેત્રમાં તેઓ કશી ધાડ મારી શકે નહી ” આવું માનનારા મનુષ્ય માત્ર સપાટી ઉપર જઈને જ બધો નિર્ણય બાંધી દે છે. શાંત અક્ષુબ્ધ પાસીફીક મહાસાગરનો તરંગ રહિત જળસમુહ જોઈ, તેમાં કશી જ ઉંડાણુ નથી એમ કોઈ મુર્ખ મનુષ્ય માની લે, તેના જેવી જ ઉપરોક્ત માન્યતા છે. સમુદ્રના વાસ્તવીક ઉંડાણનું ધોરણ જેમ તોફાન ભરેલી સ્થિતિ નથી, તેમ વ્યવહારૂ ડહાપણ અને ચતુરતાનું રણ કાંઈ ધમાધમ કે તેફાન મચાવી મુકવામાં, અથવા શોર પકેર કરી મુકી દુનીઆનું ધ્યાન ખેંચવામાં નથી. વિશ્વ માંહેની પ્રવૃતિઓની બધી શાખાઓમાં અનાસક્ત પુરૂ અથવા “ વ્યવહારૂ મહાત્માઓ જ ” For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28