Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 291
________________ સ્વાર્થ સાધવા, યોગી છતાં મોહવશ ચમત્કારો જેવા પ્રકારથી કપટ કરી, ખોટા દેખાવ કરી જગતને ઠગે તો તે સ્વયં એવો ઠગાય છે તે સંસારસમુદ્રનો પાર પામી શકતો નથી. તે મુનિ હોય તો પણ તે જગતને ઠગીને પોતે જ ભવજળમાં ડૂબે છે. નિજ નિજ મતમેં લરિ પરે, નયવાદી બહુરંગ, ઉદાસીની પરિણમૈ, જ્ઞાનીકું સરવંગ. છંદ-૯૯ નય અનેક પ્રકારના છે. દરેક પોતપોતાના મતને સાચો ઠરાવવા આગ્રહ રાખે છે, પરંતુ જ્ઞાનીને તો આવા ઝઘડા જોઈ સવગે ઉદાસીનતા આવે છે. નય વસ્તુના મર્યાદિત સ્વરૂપને જાણવાનો જ્ઞાનનો અંશ છે. નય અનેક પ્રકારના છે, તેમાં સામાન્ય માનવ તો ગૂંચાઈ જાય છે, પરંતુ પંડિતો શાસ્ત્રાદિનો અભ્યાસ કરીને પોતાના મતને સાચો ઠરાવવા માટે અન્યનું ખંડન અને પોતાના મતનું ખંડન કરે છે, તેમાં તેના આત્માને કંઈ લાભ નથી, શાસ્ત્રજ્ઞાનના ક્ષયોપશમનો વ્યય છે. રાગાદિ ભાવની ઉત્તેજના છે. વસ્તુના બોધ માટે ચર્ચા વિનિમય કરે તો તેમાં વાંધો નથી. પણ અન્યોન્ય આગ્રહમાં પડે છે તે જોઈ જ્ઞાનીઓને અત્યંત ઉદાસીનતા વર્તે છે કારણ કે દરેક આત્માઓ પોતપોતાના પરિણામ પ્રમાણે વર્તે છે. તેમાં કોઈને કંઈ પણ વિરોધ કરવાનું પ્રયોજન નથી તેથી ઉત્તમ આત્માઓ તેમાં ઉદાસીનપણે વર્તે છે. દોઉ લરે તિહાં એક પરે, દેખનમેં દુઃખ નાહિ, ઉદાસીનતા સુખ સદન, પર પ્રવૃત્તિ દુઃખ છાંહિ. છંદ-૯૭ ક્યારે પણ કોઈ સંયોગમાં જ્યારે બે વ્યક્તિને પરસ્પર વાદ કે ઝઘડા થાય ત્યારે કોઈ એકની તો હાર થાય છે. તેમાં માર્ગે જતાં જોનારને શું દુઃખ હોય ? પરંતુ જે જેના પક્ષમાં હોય તેને રાગાદિ કારણથી હર્ષશોક થાય છે. પરંતુ જેને પર પ્રવૃત્તિમય આવા પ્રકારોમાં ઉદાસીનતા વર્તે છે, તેવા જ્ઞાનીને પરના આવા ઝઘડા જોઈ પરવૃત્તિમાં જવું દુઃખદાયક લાગે છે. તેથી તેઓ એવા પ્રસંગોમાં ઉદાસીનતા સેવીને સ્વરૂપના સુખમાં રહે છે. ૨૮૦ Jain Education International આતમ ઝંખે છુટકારો. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348