Book Title: Atama Zankhe Chutkaro
Author(s): Sunandaben Vohra
Publisher: Anandsumangal Parivar

View full book text
Previous | Next

Page 347
________________ આત્મા જેટલા અંશે પોતાને ભૂલે છે, પરાશ્રયને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસારભાવ છે. આત્મા જેટલા અંશમાં આત્મદ્રષ્ટિવંત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. . અંદરની શાંતિ માટે બહારના એકાંતની જરૂર છે. બહારના એકાંતથી અંતરથી એકાંત મળે છે. અંદરનું એકાંત બધા જીવને ભૂલવામાં, બધાં કર્મ, ઇચ્છા, વિચાર અને વાસનાને છોડવામાં રહેલું છે. આ જ ખરું એકાંત છે, જેમાં જીવ અંદરના સમભાવથી, માધુર્યથી પરમકલ્યાણને રસ્તે પડે છે. શાંતિની ગાદી ઉપર આધ્યાત્મિક સૌન્દર્યની પૂર્ણતા પ્રગટ થાય છે. રુચિ અને વૃત્તિ બંનેનું સહચારીપણું છે. રુચિની સાથે વૃત્તિ જોડાયેલી જ રહે છે. દ્રવ્ય રુચિ આતાત્મા સ્વરૂપ જણાવનાર ગ્રન્થો ઇત્યાદિની રુચિ અને ભાવ રુચિ સાક્ષાત આત્મરવરૂપની રુચિને કહી છે. ધર્મચિંતન'] - પૂ. પં. શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 345 346 347 348