Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 373
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 372 જયા મહેતાએ ઊર્મિ અને બુદ્ધિના સમન્વયની કવિતા આપી છે. ૧૯૭૮માં “વેનીશન બ્લાઈન્ડ' સંગ્રહ તેઓ પ્રગટ કરે છે. દીવાનખાનાની મૂર્તિમાંના બુદ્ધને “ક્યાં સુધી આમ બેસી રહેશો?' નથી સંભળાતો દ્વારે દ્વારે હજીયે રાઈના દાણા માગતી ગૌતમીનો સાદ? એમ પૂછી નાખતાં કવયિત્રી બાળકના મૃત્યુથી વ્યથિત થયેલી માના દુઃખને દૂર કરવા જાણે ભગવાન બુદ્ધને આજીજી કરે છે. “અચાનક'માં સ્વજનના મૃત્યુથી ડઘાઈ ગયેલા જીવતા છતાં ન જીવતા સ્વજનના ચહેરાની વાત કરાઈ છે. મૃત્યુથી ચિતરાયેલો શોકગ્રસ્ત ચહેરો કેવળ આંસુ વડે નથી ધોઈ શકાતો. દરિયો જાણે અચાનક ખાલી થઈ જાય છે. “માણસ મરી જાય છે પછી માણસના મૃત્યુ પછી જગતમાં જે શિષ્ટાચારો પ્રવર્તે છે, એના પર પણ કવયિત્રી કરુણ કટાક્ષ કરે છે. મરનારના પુરુષાર્થના ગુણગાનની ભરતી અને ઓટ ને પછી રેશનકાર્ડમાંથી નામની થતી બાદબાકીનો ઉલ્લેખ કંપાવી દે તેમ છે. પણ જેનું નિકટનું સ્વજન ગયું છે એની મનોદશા કેવી છે? એ સ્ત્રીની વેદના કવયિત્રીએ અહીં સરસ ઘૂંટી છે. “કંકુની ડબ્બી પર ઢંકાતી શબની ચાદર, કંકણોની પાંપણોનું ટપકવું અને મંગલસૂત્રનું ઝૂરવું લખવા માટે કદાચ સ્ત્રીની સંવેદના ઉપકારક નીવડતી હશે.” * (સુરેશ દલાલ). ૧૯૮રમાં જયા મહેતા “એક દિવસ' લઈને આવે છે. શ્રી યશવંત શુક્લ લખે છે મૃત્યુ” અને “નગરમાં સવાર એ બંને નાનકડાં કાવ્ય પોતપોતાની રીતે માર્મિકતા સાથે છે. “ગભરુ કબૂતરના ફફડાટમાં કાગડાનાં પીંછાનું હળવેથી ફરકવું અને પછી ફફડાટનું શમી જવું, એ પ્રક્રિયા દ્વારા મૃત્યુનું સૂચન વેદનાને બોલકી બનવાનો અવકાશ રહેવા દેતું નથી.” વૈકલ્યનો આક્રોશ જે શબ્દો લઈ આવ્યો છે, અને મૃત્યુની અનિવાર્યતા જીવનની જે વ્યર્થતા સૂચવી રહે છે, તેમાં કરણનું સૌદર્ય પ્રગટ થાય છે. જયા મહેતા ૧૯૮૫માં આકાશમાં તારા ચૂપ છે' સંગ્રહ પ્રકટ કરે છે. કવયિત્રી મૃત્યુદૂતને દુશ્મનના લશ્કર સાથે સરખાવે છે. મૃત શિશુના માતપિતાની કરુણગર્ભ સંવેદના અહીં વ્યક્ત થઈ છે. “પુરુષ નિષ્પલક બાળકને હાથમાં લે છે સ્ત્રીના ખાલી ખોળામાં ચાર મૂગી આંખો ટપકી પડે છે 18 પોતાની માંદગી દરમ્યાન હોસ્પિટલમાંના વાતાવરણને કવયિત્રીએ “હોસ્પિટલ પોએમ્સ' (૧૯૮૭)માં આત્મસાત કર્યું છે. “હોસ્પિટલમાં સતત ક્ષણે ક્ષણ જાણે મૃત્યુના ઓછાયા, ને એની નીરવતા અનુભવાય છે. કણસતા દર્દીની જેમ રાત ઝીણું જાગે છે.” (“હોસ્પિટલ પોએમ્સ' પૃ. 10) અંધકારને કવયિત્રી મરેલા માણસની ઉઘાડી આંખ જેવો કહે છે. પીડાના બૅચલાળી વર્દીવાન જીવો એમણે જોયા છે. શ્વેત વસ્ત્રો છે, નિસ્પૃહ, નિર્મમ, અનાસક્ત ફરે છે, બુઝાતા દર્દીઓ છે. અજાણ અનાગતના પડછાયામાં થરથરે છે” 19 પન્ના નાયકની કવિતાને સુરેશ દલાલ “સોયની અણી જેટલા વ્યથાના બિંદુ પર ઊભેલી 20 કહે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512