Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 470
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 469 પ્રશ્નને કવિઓએ જાણે હસ્તામલકવત્ કરી આપ્યો છે. મૃત્યુની વાસ્તવિકતા, જીવનની નશ્વરતા, યમરાજની આણ, મૃત્યુના વર્ચસ્વની વાત સુધારાયુગના કવિઓએ નિરૂપી છે. મૃત્યુને સળંગ જીવન વચ્ચેના નાના પડદારૂપે ઓળખાવાયું છે. મૃત્યુની રમણીયતાનું વર્ણન મૃત્યુને મુખે જ કવિઓએ કરાવ્યું છે. ક્યાંક મૃત્યુ કવિનું દોસ્ત બની ગયું છે. પોતાનાં કાવ્યો અર્પણ કરી શકાય એવું જિગરી દોસ્ત. મૃત્યુની અનિવાર્યતાને “કટુ અમૃત કહ્યું. મૃત્યુ પછી રૂડી ભૂમિમાં જવાની ધરપત અનુભવાઈ છે. મૃત્યુ પોતેજ નાશવંત હોવાનું કવિ કહે છે. મત્ય જીવન કેવળ “પૂર્વાલાપ' ગણતા કવિ મૃત્યુને અંતે મંગલરૂપે સ્વીકારે છે. મૃત્યુ કષ્ટનો અંત લાવનાર મધુ, મૃત્યુ એટલે આરામ, મૃત્યુ જન્મનો પડછાયો. મૃત્યુ જન્મોત્સવ જેવું પર્વ, મૃત્યુ એટલે મુક્તિ. મૃત્યુ પ્રભુનો રાજમાર્ગ. મૃત્યુ અખંડ નિદ્રા, મૃત્યુ નવપ્રભાત, કૃષ્ણ પણ મૃત્યુથી પર નહતા. શરીર ધારીને મૃત્યુ સ્વીકારવું જ પડે. કોઈકને બધા જ જાણે મૃત્યુના આવિર્ભાવ જણાય. દરેકના જન્મ સાથે પડેલું મૃત્યુબીજ શ્વાસ પર મૃત્યુછોડ બની જાય. શરૂમાં મૃત્યુનો ભય, પછી આત્મદર્શન થતાં, જ્ઞાન પ્રાપ્ત થતાં મૃત્યુ મિત્ર બની જાય, ને છતાં સ્વજનમૃત્યુ તો પીડા આપે જ. ચિંતનની સમજણની ડાહી વાતોમાંથી ક્યારેક શ્રદ્ધા ડગી જાય. ને ત્યારે મૃત્યુ અગનફાળ લાગે ને શાંતિથી વિચારીએ ત્યારે મૃત્યુ વિરામ મધુ' “વિસામો' પણ લાગે. મૃત્યુનો વિધેયાત્મક તેમજ નિષેધાત્મક બંને રૂપે કવિઓએ વિચાર કર્યો છે. ક્યાંક તો એવું બન્યું છે, એક જ કવિની કવિતામાં મૃત્યુ પ્રત્યેનો તિરસ્કાર પણ વ્યક્ત થયો છે અને મૃત્યુ પ્રત્યેનો પ્રેમ પણ. વિશ્વના સૌદર્ય તેમજ માનવજીવનની મૃદુતાનો લોપ કરનાર તરીકે પણ મૃત્યુનો વિચાર કરાયો છે. તો વળી તરત જ એ જ કવિને મૃત્યુમાં વિશ્વસંગીત સંભળાયું છે. મૃત્યુ એ કોઈ નવી વાત નથી, મૃત્યુ સાથેનો માનવનો સંબંધ યુગો જૂનો છે, ને છતાં સ્વજન મૃત્યુએ માનવ હલી જાય છે. 1 યુગના પ્રભાવને ઝીલતી કવિતાએ વિવિધ મૃત્યુસંદર્ભો આપ્યા છે. “ગાંધીયુગ'માં સ્વાતંત્ર્યસંગ્રામની તેમજ ગાંધીજીના પ્રભાવની અસર ઝીલતી કવિતાએ વીરોનાં બલિદાનોની ગાથા ગાતી વખતે મૃત્યુને મંગલરૂપે જ જોયું ને ગાયું છે. છતાં ક્યાંક કવિ લીલાં માથાં વધેરાતાં જોઈ પૂજી પણ ઊઠ્યો છે. કરુણ કટાક્ષ કરતાં એ કહી ઊઠે છે “મૃત્યુ જ શું શાંતિ લાવી શકે જગતમાં'? સ્વજનમૃત્યુની વેદના પણ કવિના મનમાં પ્રશ્ન જગાડે છે. “જગતમાં શું માત્ર “મોતજ અમર'? પણ પછી સમજાય છે કે મરણ એ એક સુંદર સ્વપ્ન જાળ છે. ભ્રમ' છે. ને એ સમજાયા પછી મૃત્યુ બની જાય છે દર્દની દવા, એક ધન્વન્તરી. મૃત્યુ બને છે સુખશયા, મૃત્યુ મધુરું મલકે છે પછી તો. મૃત્યુનાં પગલાંમાં પણ લાલિત્ય વરતાય છે. મૃત્યુ જ સંજીવની રૂપ ધરીને આવે છે જાણે. કોઈક કવિ “મૃત્યુને ઈશ્વરનું મધુર મૌન' કહે છે. માનવ અને મૃત્યુ નિશદિન સાથેજ રહે છે, હોય છે, ફરક એટલો જ કે માનવ દશ્ય સ્વરૂપે વિચરે છે. મૃત્યુ અદશ્યરૂપે. મૃત્યુ બની જાય છે જીવનસાથી, હૃદયવિહારી. કારણ એ ઈશ્વરનું જ એકરૂપ છે. શરીર મરે છે, એમાના ચૈતન્યદીપને મૃત્યુના અંધકારની પીંછીનો સ્પર્શ થતો નથી. મૃત્યુ ભણીનું મહાપ્રસ્થાન શ્વેત શુભ્ર છે. મૃત્યુ વરમાળ લઈને ઊભું છે માનવને સત્કારવા. મૃત્યુના સ્પર્શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512