Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 454
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 453 (‘ગાલીબને) સર્વત્ર ગાલીબના નામથી કળીઓ મહેકતી તેઓ જુએ છે. મહેફિલો ગાલીબનું નામ લઈ ઘેલી બનશે એવી તેમની શ્રદ્ધા છે. આ પીયૂષ પંડ્યાએ કૃષ્ણગાંધી જોડેની વાતચીતની કલ્પના કરી છે. રાજઘાટ પર વિષ્ટિ કરતા કૃષ્ણ જોતજોતામાં, નેતાઓને સંસદભવનમાં મળી, પવનવેગે રથ દોડાવતા વિષ્ટિ સફલ થતાં, હિમાલય-પંથે ચાલ્યા ગયાની કવિ કલ્પના કરે છે. (‘કસક) પરલોકથી ગાંધીબાપુનો પત્ર'માં કવયિત્રી રક્ષા દવે ૧૨મી ઓગસ્ટે બાપુને આવેલા એક સ્વપ્નની કલ્પના કરે છે. જેમાં ઝંડાવંદન કરતી વખતે દોરી ખેંચતાં ફૂલોને બદલે ઊનાં જલબિંદુ ટપક્યાંની વેદના વ્યક્ત થઈ છે. “સ્વ. સરદાર પટેલને નિવેદનમાં સરદારને ફરી પોલાદ સમી સંકલ્પશક્તિ લઈ ગોણિયાના ગોળા જેવી વાકશક્તિ લઈ જન્મવા વિનંતિ કરાઈ છે. “સ્વ. ઇંદિરા ગાંધીને અપાયેલી શ્રદ્ધાંજલિ કેવળ પ્રશંસાસભર સામાન્ય કાવ્ય બની રહે છે. રક્ષકો વડે જ ઇંદિરા ગાંધીની હત્યા થતાં, કવયિત્રી કહે છે કે ત્યારથી શબ્દકોશ'માંથી “રક્ષક' શબ્દ મૃત્યુ પામ્યો. (“પ્રાર્થના') લોકોત્તર વ્યક્તિત્વના ઝળહળ દીવા અલ્હાબાદથી હિમગિરિ સુધી ઇંદિરાજીએ પ્રગટાવ્યાનું કહેતાં કવયિત્રી અતિશયોક્તિની પરાકાષ્ઠા સર્જે છે. કવયિત્રી તરુલતા પટેલે મહામના સંન્યાસી પૂ. મોટાને, કવિ પ્રિયકાન્ત મણિયારને તથા કવિશ્રી ન્હાનાલાલને ભાવભરી અંજલિ અર્પી છે. હાનાલાલને તેઓ “ગૂર્જર ગિરાના સિરતાજ' કહે છે. પ્રિયકાન્ત જતાં ગૂર્જરગિરાનો મોરલો ઊડી ગયાનો અનુભવ તેઓ કરે છે. તો પૂ. મોટાને કળિયુગના રામ તરીકે બિરદાવતાં કવયિત્રી પૂ. મોટાને જરાપણ વીસરી શકતા નથી. મેઘનાદ ભટ્ટના " સત પિતાને' કાવ્યમાં સ્વાનુભૂત કરુણા નીપજી આવી છે. કવિ પિતાએ આત્મહત્યા કરી ત્યારે, પોતાની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. એમના શબ્દકોશમાં આ શબ્દ શી રીતે સમાય ? “અવસાનના અવસાદને અતિક્રમી જતું મરણોત્તર સ્વપ્નપ્રયાણ કરવાને બદલે શું શ્વાસ લીધે રાખું છું” 232 * રામુ પંડિત ૧૯૭૬ના નવેમ્બરથી ર૭મીના “કોમર્સ' સાપ્તાહિકમાં સત એ વી. દેસાઈને આપેલી અંજલિ વાંચી મેઘનાદ ભટ્ટ “અવિદા' કાવ્ય રચે છે. જેમાં અંતિમ સામાન બંધાઈ ગયાની, કશી લેણદેણ બાકી ન રહ્યાની, ટિકિટ આવી ગયાની, તથા પ્લેટફોર્મની લાઈટે લીલું તોરણ બાંધી દીધાની વાત દ્વારા પ્રતીકાત્મક રીતે મૃત્યુના આગમનનો સંકેત કર્યો છે. . - “છેવટે ટ્રેઈન આવી ગઈ ને, મુસાફર ઉપડી ગયો - અ...રે ભૂલી ગયો એ કશુંક પ્લેટફોર્મ પર? સુગંધથી તરબતર તો તે ગુલોનો ગુચ્છો આ ....કોના અસ્તિત્વની એ ઍક ? 233 P.P. Ac. Gunratnasuri mis Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512