Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 467
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 466 ઉદયન ઠક્કર મરવાના સમયની પસંદગી પણ કરી દે છે. બપોરના પરસેવાયુક્ત આલસ્ય, કે રાતની ભેંકારતામાં મરવાની મઝા ન આવે. તેથી તેઓ કહે છે. “બ્રહ્મ મુરત હોય, અને આંખે ઓસનાં આંસુ બંધાતા હોય ને છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા, કાઢે ને એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ 20 “મરતા આદમીની ગઝલ'માં ઉદયને નજાકતથી મૃત્યુઝંખના વ્યક્ત કરી છે. પરોઢના પહેલા કલરવમાં, ઉષાના મંગલોત્સવ ટાણે, શિયાળામાં સભીની માટી પર, તરણના નીરવમાં ચુપચાપ મરવું છે. હવાથી ખરતા પગરવમાં મરવાની ઇચ્છા છે તેમની. “પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓઠ પલળ્યા છે. આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક અસલ વગડાઉ વૈભવમાં, મને ચુપચાપ મરવા દો” કવિ નટવરભાઈ ઠક્કર (‘પ્રભુજી તમે સાગર હું પાણી') મૃત્યુ નિશ્ચિત છતાં અનિશ્ચિત હોવાથી, એની રાહ જોવા માગતા નથી. સદેહે મૃત્યુનો સાક્ષાત્કાર કરવાની એમની ઝંખના છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સઘળું અહીં રહેવા દઈ પ્રીતમના રૂપમાં સમાઈ જવાની એમની ઝંખના કદાચ મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરે. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512