SearchBrowseAboutContactDonate
Page Preview
Page 467
Loading...
Download File
Download File
Page Text
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 466 ઉદયન ઠક્કર મરવાના સમયની પસંદગી પણ કરી દે છે. બપોરના પરસેવાયુક્ત આલસ્ય, કે રાતની ભેંકારતામાં મરવાની મઝા ન આવે. તેથી તેઓ કહે છે. “બ્રહ્મ મુરત હોય, અને આંખે ઓસનાં આંસુ બંધાતા હોય ને છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા, કાઢે ને એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ 20 “મરતા આદમીની ગઝલ'માં ઉદયને નજાકતથી મૃત્યુઝંખના વ્યક્ત કરી છે. પરોઢના પહેલા કલરવમાં, ઉષાના મંગલોત્સવ ટાણે, શિયાળામાં સભીની માટી પર, તરણના નીરવમાં ચુપચાપ મરવું છે. હવાથી ખરતા પગરવમાં મરવાની ઇચ્છા છે તેમની. “પવનની પ્યાલી અડક્યાથી તૃણોના ઓઠ પલળ્યા છે. આ ઝાકળભીના આસવમાં મને ચુપચાપ મરવા દો આ રાની ઘાસની વચ્ચે, આ રાની ઘાસની માફક અસલ વગડાઉ વૈભવમાં, મને ચુપચાપ મરવા દો” કવિ નટવરભાઈ ઠક્કર (‘પ્રભુજી તમે સાગર હું પાણી') મૃત્યુ નિશ્ચિત છતાં અનિશ્ચિત હોવાથી, એની રાહ જોવા માગતા નથી. સદેહે મૃત્યુનો સાક્ષાત્કાર કરવાની એમની ઝંખના છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ સઘળું અહીં રહેવા દઈ પ્રીતમના રૂપમાં સમાઈ જવાની એમની ઝંખના કદાચ મૃત્યુનો સહર્ષ સ્વીકાર કરે. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036417
Book TitleArvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Original Sutra AuthorN/A
AuthorBhanumati Jani
PublisherParshwa Publication
Publication Year1998
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size875 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy