________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 465 ઉત્તમ. મનના જે તે વિચારો થીજી જાય, બીડાયેલા ફૂલના પરાગમાં એમના પગ ખૂંપી જાય, ને લોક કહે બહેન ગયાં.... ફૂલની રજથી ખરડાયેલા પગ હોય મારા, ને ફોરમ ભરી ધેય શ્વાસમાં” ર૫૫ કવયિત્રી કહે છે, “મારું મૃત્યુ અવસર બની રહો”.... “લોકો કહે.... બહેનનું મૃત્યુ માથે ફૂલની ડાળ પડવાથી થયું બહેનનું મૃત્યુ પીળાં પાન ખાવાથી થયું. મારું માથું પ્રિયતમના ખોળામાં ઢાળું ને બસ ઢળી પડું....સદાને માટે” 25 કવયિત્રી માલા કાપડિયાનું કાવ્ય “મારું મૃત્યુ' ૧૯૫૭માં “નવનીત'માં છપાયું હતું. જેમાં એમના મૃત્યુ સમયની એમની ઝંખના વાચાબદ્ધ બની છે. તેઓ (કાવ્યનાયિકા) મૃત્યુ પામે ત્યારે, એમની ખુલ્લી આંખોને પ્રિયજન પોતાના પ્રથમ ચુંબનથી ઢાંકી દે, તથા એમના અતૃપ્ત હોઠ પર પ્રિયજન એક અશ્રુબિંદુ વડે અલ્પહાસ્ય પ્રગટાવી એવી એમની શ્રદ્ધા છે. માલા કાપડિયા કહે છે. અને પછી મારા લખેલા પત્રોને બાળી દેજો મારી સાથમાં તેની ભસ્મો દાટી દેજો તમારા ગુલાબના ફૂંડામાં. અને હું સમયના વ્હેણમાં ગુલાબ બની ખીલીશ તમારી પાસમાં 57 પ્રિયજન પાસે ગુલાબ બની, કવયિત્રીને ખીલી નીકળવું છે, મૃત્યુ પછી. (મૃત્યુ પ્રેમને મારી શકતું નથી.) ડૉ. ગીતા પરીખ કહે છે “નિરાશા, નિષ્ફળતા પણ કેવો નવજન્મ લે છે આ કાવ્યમાં?૫૮ ભસ્મ, ક્રૂડું ને ગુલાબ દ્વારા કવયિત્રી એના પ્રેમને કાલાતીત ગતિ આપે છે.” સમુદ્ર' નામના કાવ્યમાં યજ્ઞેશ દવે પ્રતીકાત્મક રૂપે પોતાની (કાવ્યનાયકની) મૃત્યુઝંખના પ્રગટ કરે છે. રેતી રેતી થઈ ખરતી જતી કાયાની માટીને ભાંગી નાખવાની એમની ઇચ્છા મૃત્યુ ઝંખનાનું પ્રતીક છે. ૧૯૮૭માં “એકાવન” કાવ્યસંગ્રહ લઈને આવનાર ઉદયન ઠક્કર કદાચ મરવાનું પસંદ જ નથી કરતા. પણ જો મર્યા વિના છૂટકો જ ન હોય તો કેવા પ્રકારનું મૃત્યુ એમને પસંદ છે, એની સરસ વાત તેઓ કરે છે. “જો મરવાનું જ હોય તો અમને વનવગડામાં મરવું છે ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે 259 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust