Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 438
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ - 437 લીધાની વાત કાવ્યનાયક કરે છે. - કાવ્યનાયક જતાં જતાંય મહોબતને સાદ કરતા જવાના. કાવ્યનાયકની આંખમાં (“સ્વજન') પ્રિયજનની યાદ આંસુ બનીને સરે છે. પ્રેમ મળતો હોય તો મૃત્યુનો સ્વીકાર કરવાની અહીં તૈયારી છે. મૃત્યુ પ્રેમને નહિ, પ્રેમ મૃત્યુને હંફાવે છે. આ અદ્યતન યુગ અને કાળનું નિરૂપણ - આધુનિકતાના પ્રણેતા સુરેશ જોશીની કવિતામાં ક્ષણોનું ભંગુર પાત્ર તથા કાળના મહુવરની વિષમતાનો ઉલ્લેખ મળે છે. આંગળીઓના શિથિલ બંધમાંથી ખંડિત કાળ ઘૂઘવતો હશે, ને પ્રેમની વિદાય પછી કાળની અભિજ્ઞતા બદલાઈ હશે.... ટીફ ટીફ અવાજવાળા ઘડિયાળના નિર્દેશથી મૃણાલના પરિવારમાં નિર્વિશેષ કાળપરિમાણને - ઉપસાવવામાં કવિ સુરેશ જોશીને સારી સફળતા મળી છે. કવિ કહે છે “પુરાણા પીપળા નીચે કોઈક કાળની બંસરી બજાવે છે ને એના મૃત્યુ છિદ્ર પ્રાણનો પ્રબળ પ્રચ્છવાસ પુકારે છે.” & “ઇતરા'ના આઠમા કાવ્યમાં કવિ સુરેશ જોશી સર્વત્ર વ્યાપેલા વિષરસની વાત કરે છે. કાળના મહુવામાં પળેપળે અનુભવાતા વિષના કુત્કારની વાત જીવનની ક્ષણભંગુરતાનો નિર્દેશ કરે છે. સુશીલા ઝવેરીના “ક્ષણોનું આલ્બમ' સંગ્રહનું શીર્ષક જ કાળસૂચક છે. “સમય” તત્ત્વનું કવયિત્રીને ભારે વિસ્મય છે. તેઓ કહે છે, “મારા જન્મમરણની વાત જેવું સમયનું વટવૃક્ષ”, “ઝંખના'માં કાળથી પર બનવાની કવયિત્રીની ઝંખના પ્રગટ કરે છે. સમયના ગર્ભમાંથી જન્મતી સુખદપળો કાળાંતરે મૃત્યુ પામતી હોવાના કડવા સત્યને તેઓએ “કડવા કુંવડીઆ’માં રજૂ કર્યું છે. કવયિત્રી કહે છે. “કાળ આંગણે આંટા મારતો - ત્યારે, કરી હતી. બારી બારણાં વાસી દીધાં કરી કાળ પવન થઈ ગયો” 197 , કવયિત્રી માને છે કે કાળ બારી વાટે જ ગૃહમાં પ્રવેશી શકે ને પછી જીવન, મૃત્યુ ને કાળ, માનવ ને કાળ બધું જ એકાકાર થઈ જાય. “કાળ' આ કવયિત્રીને મન સદાય ગહન એવા આશ્ચર્યનો વિષય રહ્યો છે. કવિ મકરંદ દવે કાળના મુકામને જીતવા માગે છે (‘તરણાં) પાંખના પલાણે બેસી બેઘડી ટહુકી છેલ્લેરી સલામ તેમને કરવી છે. કાલોડમિ' કહેનારને તેઓ પડકારે છે. (‘ભીતરનાં તેજ) પોતાનો દીવો ઉજ્જવળ હોવાથી કવિને ન તો કાળની પરવા છે, ન મૃત્યુની. ને બીજી જ પળે કવિ કહે છે “સમયના હાથમાંથી કોઈ બચી શકતું નથી. (‘તો સમયના હાથથી સંગતિ') કવિ જગદીશ જોશીને “ક્ષણના વૃંદાવનમાં શ્રદ્ધા નથી. તેઓ માને છે માનવની નિયતિ માટે નિર્માણ થયું છે “ક્ષણોનું લાક્ષાગૃહ', કારણ અનંતના હવનમાં બધું જ હોમાઈ જતું હોય છે. જગદીશ જોશી આયખાને ક્ષણોનું બાંધી આપેલું સાલિયાણું કહે છે. લાભશંકર ઠાકર તો આખો એક સંગ્રહ જ સમયને ઉદ્દેશીને આપે છે. “કાલગ્રંથિ', (૧૯૮૯)માં બધું જ સામયિક હોવાની કવિએ વાત કરી છે. પરંતુ કાવ્યને તેઓ વિશેષરૂપે Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S.

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512