Book Title: Arvachin Gujarati Kavitama Mrutyunu Nirupan
Author(s): Bhanumati Jani
Publisher: Parshwa Publication

View full book text
Previous | Next

Page 437
________________ અર્વાચીન ગુજરાતી કવિતામાં મૃત્યુનું નિરૂપણ * 436 નિર્જળા નદીમાં કવયિત્રી કહે છે “નહીં જોવા મળે તે પરિચિત ચહેરો જે તને ગમતો હતો કદાચ” 194. તો ક્યાંક ચૂડીઓ પહેરતાં પહેલાં જ નંદવાયાની વેદનાય વ્યક્ત થઈ છે. “રા'મણ દીવડા ઝગ્યા, દોણીઓ સળગી ની ચૂડીઓ પહેરતાં જ નંદવાઈ” 195 પાંડુના મૃત્યુને બિરદાવતાં દક્ષા દેસાઈ કહે છે, પાંડુએ એકજ વાર લીલી ટશર બની ફણગવાનો યત્ન કર્યો, ને તેઓ પરમવૃત્તિ સાથેનું પ્રેમસભર મૃત્યુ પામ્યા. એમનું મૃત્યુ એમને માટે પરમસુખની, પ્રેમપરાકાષ્ઠા બની ગયું. અહીં મૃત્યુ પર પ્રેમનો વિજય થયો. પ્રીતિ સેનગુપ્તા લલાટ લેખમાં પ્રિયજનના અવસાન અંગે વલોપાત કરતા સ્વજનની વાત કરે છે. (“ખંડિત આકાશ) કશું લઈને નથી જવાનું તે તો સમજાય છે. પણ કશું મળ્યાની ખાતરી થાય એવું કશું ન હોવાનો વસવસો વ્યક્ત થયો છે. અતિઅંગત અને હૃદયદ્રાવક લલાટપ્લેખ (સ્વજનમૃત્યુ) એકલાં જ એક ખૂણે બેસી જીરવવા મથવું છે. કાવ્યનાયકને પોતાની મેળે બધું વિસરવું છે, બધું જ. મહેન્દ્ર જોશી “મૃત્યુ' નામના કાવ્યમાં ભરપૂર પ્રેમ સંતોષની નજાકતભરી શૈલીમાં વાત કરે છે. જનાર વ્યક્તિને જવાનો કોઈ રંજ નથી, કારણ આ જગતમાં અખૂટ પ્રેમ તેઓને મળ્યો છે, કોઈ હૃદયને ખૂણે તરુવરની જેમ મૂક્યાની અઢળક માયા હતી. પ્રેમનાં સ્મરણોના મબલખ ફૂલ મૂકીને તેઓ તારના સંદેશે ચાલી નીકળે. “સંચરું'માંનો કાવ્યનાયક પોતે ફૂલની સૌરભની જેમ બસ બેઘડી અહીં આવ્યાની વાત કરે છે. ને કોઈ યાદ કરે તો હવામાં તેઓ જરૂર ઝરમરવાના, વ્યક્તિ મરે છે, સ્મરણો નહિ, પ્રેમસંબંધ નહિ. જનાર સ્મરણરૂપે સદા સાથે જ રહે છે. કાવ્યનાયકને ઢળતી સાંજનો ડર નથી. પોતાના અંતિમ પ્રયાણ પછી કોઈ યાદ કરે તો પોતે ક્યાં નથી? ....હવામાં સર્વત્ર યાદરૂપે તેઓ પ્રસરેલા જ છે. દિનકર શાહ “જય' “આખરી વારે'માં (“અજનવી વસ્તીમાં') પ્રેમ અને મૃત્યુને સાથે સાંકળે છે. પેલું શાશ્વત મૌન (મૃત્યુ) એમને ઘેરી લે ત્યાર પહેલાં પ્રિયજન સાથે છેલ્લી છેલ્લી વાત કરી લેવાની કાવ્યનાયિકાની ઇચ્છા છે. તેઓ પ્રિયજનને કહે છે “આજની સાંજ જરાય ન રડીશ, કદાચ સવારે અઢળક ઓસકણોના ચળકાટથી છવાઈ જશે આખોય બગીચો. સ્મરણરૂપે મૃત્યુ પામનાર પ્રિયજન પોતાના હયાત સ્વજન સાથે સાહચર્ય જરૂર ભોગવવાના. “પ્રાયોગિક ધોરણે-૨૩માં નિરાધાર અવસ્થા વચ્ચે પોતાના ખોળિયાને ઓગળતું જોઈ રહ્યાની વ્યથા વ્યક્ત થઈ છે. (“સ્પર્શ દિનકર શાહ) પણ પછી આ અવિશ્રાંત ધીકતી ચેહને સૂર્યકિરણોમાં એકરૂપ કરી દઈ પ્રિયસ્વજનની ઓસરીમાં તેઓ પથરાઈ જશે એવી શ્રદ્ધા છે. | કવિ જયેન્દ્ર મહેતા (“મંજરી') “તમારા સમમાં ઍમનો મહિમા મૃત્યુનેય બાજુએ મૂકી દેતો હોવાની વાત કરે છે. પ્રેમપંથી મૃત્યુને માંડવે વિહરનારા છે, એવું કવિનું માનવું છે. પ્રેમની દુનિયામાં મિત્રતા તો માત્ર “મોત” સાથે જ થઈ શકે. પ્રેમ કરનારા “મોતથી કદી ડરતા નથી, ને મોતથી ડરનારા પ્રેમમાં કદી ફાવતા નથી. પ્રેમ કરીને મોતને માગી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512