________________
અંગબાહ્ય શ્રુતની મીમાંસા
વિસભાવણ, દિવિસભાવણ, ચારણભાવણ, મહાસુમિણભાવણ અને તેયગનિસગ્ન એટલા અધિક ગ્રંથોને નિર્દેશ છે. એવી રીતે આ પકિખયસુરના ૬૧મા પત્રમાં ઉકાલિક શ્રત તરીકે નંદસુત્તમાં એ શ્રતના ગ્રંથ તરીકે ગણવેલા તમામ ગ્રંથે નથી. કિન્તુ સૂરપણુત્તિ સિવાયના બાકીનાને એટલે કે ૨૮ને નિર્દેશ છે. આથી એ ફલિત થાય છે કે સૂરપત્તિને કેટલાક કાલિક શ્રુત ગણે છે તો કેટલાક એને ઉકાલિક શ્રત ગણે છે. વિશેષમાં પકિખયસુત્તમાં આપેલા કાલિક અને ઉત્કાલિક શ્રુતના ગ્રંથોના ક્રમમાં અને નંદીસુત્તમાં આપેલા એ ગ્રંથોના ક્રમમાં કંઇક ફેરફાર જોવાય છે.
જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” (પૃ. ૪૨)માં ઉકાલિક શ્રત આશ્રીને એવો ઉલ્લેખ છે કે “અન્યત્ર કે અન્ય પ્રતમાં નિયવિહિ , મરણવિસેહિ અને આયવિભત્તિ નરકવિશુદ્ધિ, મરણુવિશુદ્ધિ અને આત્મવિભક્તિ) એ ત્રણ વધુ છે એટલે ૩૨ થાય છે.”
આ ઉપરથી એ જોઇ શકાય છે કે કાલિક શ્રુત તરીકે ૩૧ તેમ જ ૩૭ ગ્રંથને નિર્દેશ જેવાય છે, જ્યારે ઉકાલિક શ્રુત તરીકે ૨૮, ૨૯, તેમ જ કર ગ્રંથેનો પણ નિર્દેશ જેવાય છે. અત્ર “ગ્રંથ શબ્દ સામાન્ય અર્થમાં હું વાપરું છું. એથી સંપૂર્ણ જ કૃતિ સમજવાની છે એમ નહિ, કેમકે કેટલીક વાર અધ્યયનને–પ્રકરણને અંગે પણ એ શબ્દ સંભવે છે.
અવશિષ્ટ અગબાહા શ્રતને નિર્દેશ-કાલિક અને ઉત્કાલિક શ્રુતમાં ઉપર ગણાવાયેલા ગ્રંથો ઉપરાંત બીજા પણ અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. આ સંબંધમાં વર્તમાન ચોવીસીને આશ્રીને નંદીસુત (સૂ. ૪૪)માં નીચે મુજબનો ઉલ્લેખ આપણે અત્ર વિચારીશું –
एमाइयाई चउरासीई पइन्न गसहस्साई भगवओ अरहओ उसहसामिस्स आइतित्थयरस, पहा संखिज्जाई पन्नगसहस्साई मज्झिमगाणं जिणवगणं, चोइसपइन्नगसहस्साणि भगो वद्धमाणसामिस्म, अहवा जस्स जत्तिआ सीसा उत्पत्तिआए वेणइयाए कम्मियाए पारिणामियाए घउनहाए बुद्धोए उववेआ तस्स तत्तिभाई पदण्णगसहस्साई. पत्तेप्रबुद्धा वितत्तिा चेव" :
આ સૂત્રની યુણિ (પત્ર પ૦)માંની નીચે મુજબની પંક્તિ ધી લઈ આપણે આને વિચાર કરીશું:__ भगवतो उसभस्म चउरासीइसमण साहस्तीतो होत्था, पदण्णगज्झयणा वि सब्वे कालियअकालिया चउरासीइसहस्सा, कथम् ? जतो ते चउरासीइसमणहस्सा अरिहंतमग्गउवदिहेज सुतमणु. सरता किंचि णिज्जूहंति ते सम्वे पदण्णगा, महया सुतमणुस्सरतो अपणो वयणकोसलेगा जं धम्मदेरणादिसु भासतो ते सव्वं पइण्णगं, जम्हा अणंतगमप नगं सुत्तं दिवें, तं च वयण जियमा मण्णयरगमाणुपाती भवति, तम्हा तं पइयगं, एवं च उरासीइपइगसहस्सा भवतीत्यर्थः...अहवा 'जत्तिया सिस्वा' इत्यादि सत्रं, इह सुत्ते अपरिमाणा पइगगा, पइगगसामिअपरिमाणत्तगतो, किंच ह मुत्त पत्तेयबुद्धप्पणीयपदण्णो भणियब्ध, कम्हा? जम्हा पतिण्णयारिमाणेग चेव पत्तेयबुद्धपरि. पाणं करेइ त्ति भणिये, पत्तेयबुद्धा वेत्तिया चेव त्ति, चे.दक आह-गणु पत्तेयबुद्धा विसभावो य रुज्झए. आचाहि-तिस्थगरपणीयसासणपढिवण्णतणतो तस्सीसो भवतीत्यर्थः।"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org