Book Title: Ahmedabad Shaher Yatra
Author(s): Bhavyanandvijay
Publisher: Dahelano Upashray

View full book text
Previous | Next

Page 47
________________ દેરાસરમાં મુખ્ય શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રેમથી સ્તુતિ કરી હતી. અહીં ૭ અને ૮ પ્રતિમાજી છે. તે પછી અમ્બાજીના મંદિર આગલ થઈ ખાંચામાં થઈને દેરાવાળી પોળના દેરાસરમાં મૂલનાયક શ્રી શાંતિનાથ ભગવાનના દર્શન વંદન કરી લેયરામાં શ્રી આદીશ્વર ભગવાનની સ્તુતિ ભાવથી કર્યા બાદ છેલ્લે ચિત્યવંદન અહીં કર્યો હતે. અહીં ૩૮ અને ૯ પ્રતિમાજી છે. આજે પાંચ પ્રભાવના પતાસાની થઈ હતી, પછી ઝાંપડાની પોળ હાજા પટેલની પોળ આગળ થઈ ડહેલાના ઉપાશ્રયે પધારી આચાર્યશ્રીએ માંગલિક સંભલાવ્યા પછી માણસે વિખરાઈ ગયા હતા. ઓગણીશમો દિવસ માગશર વદ ૧ તા. ૧૦–૧૨–૫૪ શુક્રવાર. • જે પણ આચાર્યશ્રીના મુખથી મંગલા ચરણ સાંભલ્યા બાદ વાજાના સદા સાથે સંથે પ્રયાણ કર્યું, હાજાપટેલ તથા ઝાંપડાની પોળ આગળ થઈ કાલુપુર દરવાજાની પાસે આવેલી ભંડેરી પોળના ( Dil દેરાસરમાં મૂળનાયક શ્રી સુમતિનાથ - હે ભગવાનની આગલ સંપે શાન્તિથી રમૈત્યવંદન કર્યું. અહી ૧૩ અને ૩૫ પ્રતિમાજી છે. અહીં શેઠ સમરથમલ કેસરીમલજીએ શ્રીફલની પ્રભાવના પિળવતી આપી હતી. અત્રેથી નિકળી કાલુપુર દરવાજા બહાર સ્ટેશનની સામે આવેલા કંસારાના ડહેલાના મેડા ઉપર દેરાસરમાં મુખ્ય શ્રી અભિનંદન ભગવાનના દર્શન કર્યા, અહી ૭ અને ૫ પ્રતિમાજી છે. અહીં પતાસાની પ્રભાવના થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com '

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64