Book Title: Agam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૧/-/૧૩/૧૪૫
૧૯૫
સમ્યકત્વરૂપ પરિણામ વિશેષ. મિથ્યાત્વપર્યય-મિથ્યાત્વ, વિપતિપન્ન-વિશેષથી પ્રતિપન્ન.
કાષ્ઠકર્મ-લાકડાની પુતળી આદિની રચના. એ રીતે બધે જાણવું. પુસ્ત-વસ્ત્ર, ગ્રથિમસૂત્ર વડે માળાની જેમ ગુંચેલ વેષ્ટિમ-પુષ્પમાળાના લંબૂસની જેમ વીંટેલ સંધાતિમ-થ આદિની જેમ સંઘાતથી રોલ. ઉપદÁમાન-લોકો વડે પરસ્પર દેખાડાતું. તાલાયકમ્મપ્રેક્ષણકકર્મ વિશેષ તેગિચ્છિયશાલ-ચિકિત્સાશાળા - x " જ્ઞાયક-શાસ્ત્ર ન ભણવા છતાં પ્રવૃત્તિ દર્શનથી શાસ્ત્રજ્ઞ, કુશલ-સ્વવિતર્કથી ચિકિત્સાદિમાં પ્રવીણ, વાહિયવિશિષ્ટ ચિતપીડાવાળા, શોકાદિમાનસયુક્ત અથવા વિશિષ્ટ આધિ, કુષ્ઠાદિ સ્થિર રોગ, ગ્લાન-ક્ષીણહર્ષ, અશક્ત. રોગી-શીઘ્ર ઘાતિ રોગ વડે યુક્ત ઔષધ-એક દ્રવ્યરૂપ, ભૈષજ-દ્રવ્ય સંયોગરૂપ. ભક્ત-ભોજન - x -
અલંકારિયસહ-વાણંદની કર્મશાળા. વિસřિઅ-વિસૃષ્ટ, ત્યાગવું, જલ-કઠણ થયેલ મેલ. - X - જલરમણ-જલક્રીડા. વિવિધ મજ્જન-ઘણાં પ્રકારના સ્નાન વડે.
• x - િિભત-સ્વરધોલનાવત્ મધુર. - ૪ - સંતુય-સુવું, સાહેમાણે-પ્રતિપાદિત કરતા. ગમય-પૂર્વોક્ત પાઠ. સાયોસોખ્ખું-સાતા વેદનીયના ઉદયથી થતું સુખ.
• સૂત્ર-૧૪૬,૧૪૭ :
-
[૧૪૬] ત્યારપછી તે નંદમણિકાર શ્રેષ્ઠીને અન્ય કોઈ દિવસે શરીરમાં સોળ રોગ ઉત્પન્ન થયા. તે આ શ્વાસ, ખાંસી, જ્વર, દાહ, કૂક્ષિ શૂળ, ભગંદર, અર્શ, અજીર્ણ, નેત્રશૂળ, મસ્તક શૂળ, ભોજન અરુચિ, નેત્રવેદન, કર્ણ વેદના, ખુજલી, જલોદર અને કોઢ.
[૧૪૭] ત્યારે તે નંદમણિકાર સોળ રોગથી અભિભૂત થતાં કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું – હે દેવાનુપ્રિયો ! તમે રાજગૃહના શ્રૃંગાટક યાવત્ પથમાં જઈને મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરાવો કે હે દેવાનુપ્રિયો ! નંદ મણિકારના શરીરમાં ૧૬-રોગો ઉત્પન્ન થયા છે - શ્વાસ યાવત્ કોઢ. તો જે વૈધવૈધપુત્ર, ગાયક-ડ્રાયકપુત્ર, કુશલ-કુશલપુત્ર નંદમણિકારના તે ૧૬-રોગાતંકમાંથી એક પણ રોગાતંકને ઉપશામિત કરી દે, તેને નંદ મણિકાર વિપુલ અર્થસંપત્તિ આપશે. એ રીતે બે-ત્રણ વખત ઘોષણા કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. તેઓએ પણ તેમ કરી આજ્ઞા સોંપી.
-
ત્યારે રાજગૃહમાં આવા પ્રકારની ઘોષણા સાંભળી, સમજી ઘણાં વૈધો યાવત્ કુશલપુત્રો, હાથમાં શસ્ત્રપેટી-શિલિકા-ગુલિકા-ઔષધ-ભૈષજ લીને પોતપોતાના ઘરેથી નીકળ્યા. નીકળીને રાજગૃહીની વચ્ચે થઈને નંદ મણિકારના ઘેર ગયા. જઈને તેના શરીરને જોયું. તેના રોગઆતંકનું નિદાન પૂછ્યું. તેને ઘણાં ઉદ્વલન, ઉદ્ધતન, સ્નેહપાન, વમન, વિરેચન, સ્વેદન, પદહન, પરનાન, અનુવારાન, વસ્તિકર્મ, નિરુદ્ધ, શિરાવેધ, તક્ષણ, શિરોવેપ્ટન, તર્પણ, પુટપાક, છલ્લી, વલ્લી, મૂલ, કંદ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, શિલિકા, ગુલિકા, ઔષધ, ભૈષજ વડે તે સોળ રોગાાંકમાંથી એકાદ રોગાતાંક પણ શાંત કરવા ઈછ્યો,
પણ તેઓ એક પણ રોગને શાંત કરવામાં સમર્થ થઈ ન શક્યા.
ત્યારે તે ઘણાં વૈધ આદિ જ્યારે એકપણ રોગાતંકને શાત કરવામાં સમર્થ
જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ
૧૯૬
ન થયા, ત્યારે શ્રાંત, તાંત થઈ યાવત્ પાછા ગયા.
ત્યારે તે નંદ તે સોળ રોગાતંકથી અભિભૂત થઈને, નંદા પુષ્કરિણીમાં મૂર્છિત થઈને, તિર્યંચયોનિકનું આયુ બાંધીને, પ્રદેશો બાંધીને આધ્યિાનને વશ થઈને કાળમારો કાળ કરીને નંદા પુષ્કરિણીમાં દેડકીની કુક્ષિમાં દેડકા રૂપે ઉત્પન્ન થયો. પછી નંદ દેડકો ગર્ભથી બહાર નીકળ્યો. પછી બાલ્યભાવ છોડીને, વિજ્ઞાન પરિણત થઈ અને યૌવનને પામ્યો. નંદાપુષ્કરિણીમાં રમણ કરતો
વિચરવા લાગ્યો.
ત્યારે નંદા પુષ્કરિણીમાં ઘણાં લોકો નાન કરતા, પાણી પીતા કે લઈ જતાં એકબીજાને આમ કહેતા હતા કે હે દેવાનુપિય! તે નંદ મણિકાર ધન્ય છે, જેણે આવી નંદા પુષ્કરિણી, ચતુષ્કોણ યાવત્ પ્રતિરૂપ બનાવી, જેના પૂર્વીય વનખંડમાં અનેક સ્તંભ વિશિષ્ટ ચિત્રાત્મા છે, ઈત્યાદિ ચારે સભા પૂર્વવત્ કહેતી યાવત્ તેનું જીવન સફળ છે.
-
ત્યારે તે દેડકો વારંવાર ઘણાં લોકો પાસે આ અર્થને સાંભળીને, સમજીને આવા પ્રકારે વિચારવા લાગ્યો કે મેં ક્યાંક-ક્યારેક આવા શબ્દો પૂર્વે સાંભળ્યા છે. એ રીતે શુભ પરિણામથી યાવત્ જાતિ સ્મરણ ઉત્પન્ન થયું, પૂર્વજાતિને સમ્યક્ પ્રકારે જાણી. ત્યારે તે દેડકાને આવા સ્વરૂપે સંકલ્પ થયો કે હું અહીં નંદ નામે આઢ્ય મણિકાર હતો.
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધારેલા, તેમની પાસે મેં પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત યાવત્ સ્વીકારેલા. ત્યારે હું અન્ય કોઈ દિવસે સાધુદર્શનથી યાવત્ મિથ્યાત્વ પામેલો. પછી હું કોઈ દિવસે ગ્રીષ્મકાળ સમયમાં યાવત્ સ્વીકારીને વિચરતો હતો. ઈત્યાદિ પૂર્વવત્. પુષ્કરિણી-વનખંડ-સભા બનાવ્યા. યાવત્ હું દેડકો થયો. અરેરે ! હું અધન્ય, અપુન્ય, અકૃતપુણ્ય છું, નિર્ણન્ય પ્રવાનથી નષ્ટ, ભ્રષ્ટ, પરિભ્રષ્ટ છું, તો મારે ઉચિત છે કે – હું સ્વયં જ પૂર્વ પ્રતિપન્ન. પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચરું. આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ સ્વીકારીને વિચ.આમ વિચારીને પૂર્વે સ્વીકારેલ પાંચ અણુવ્રતાદિ ફરી અંગીકાર કર્યા. આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે મારે જાવજીવ નિરંતર છટ્ઠ છટ્ઠ તપ કરી, આત્માને ભાવિત કરતા વિચરવું. છટ્ઠના પારણે પણ મારે નંદા પુષ્કરિણીમાં પર્યન્ત ભાગમાં પ્રાસુક નાનના જળ અને ઉન્મર્દનથી ઉતરેલ મનુષ્યમેલ વડે આજીવિકા ચલાવવી કલ્પે. આવો અભિગ્રહ કરી, છઠ્ઠ તપૂર્વક યાવત્ વિચરે છે.
તે કાળે, તે સમયે હે ગૌતમ ! હું ગુણશિલ ચૈત્યે આવ્યો, પર્ષા નીકળી. ત્યારે નંદાપુષ્કરિણીએ ઘણાં લોકો સ્નાનાદિ કરતાં પરસ્પર કહેતા હતા કે યાવત્ શ્રમણ ભગવંત મહાવીર અહીં ગુણશિલ ચૈત્યમાં પધાર્યા છે. હે દેવાનુપ્રિયો ! તો જઈએ અને ભગવંતને વાંદીએ યાવત્ પપાસના કરીએ. જે આપણા માટે આ ભવ અને પરભવમાં હિતને માટે યાવત્ આનુગામિકપણે થશે.
ત્યારે તે દેડકાએ ઘણાં લોકો પાસે આમ સાંભળી, સમજી આવા સ્વરૂપ