Book Title: Agam 35 Chhed 02 Bruhatkalpa Sutra
Author(s): Kheemvijay
Publisher: Mehta Family Trust

View full book text
Previous | Next

Page 251
________________ *************( વટાણ ) ***** * વંદન કરી તેમણે પૂછ્યું કે- “હે પ્રભો! સ્થૂલભદ્ર ક્યાં છે?” ગુરુ બોલ્યા કે- ‘આ નજીકના જીર્ણ દેવકુળમાં છે'. પછી તેઓ દેવકુળ તરફ ચાલ્યાં, તેમને આવતી જોઇ સ્થૂલભદ્ર આશ્ચર્ય બતાવવા સિંહનું રૂપ કર્યું. સિંહને જોઇ તે સાધ્વીઓ ભયભીત થઈ ગુરુમહારાજ પાસે આવી કહેવા લાગી કે- “હે ભગવાન! કોઇ સિંહ અમારા જ્યેષ્ઠ બંધવનું ભક્ષણ કરી ગયો જણાય છે, અત્યારે તે સિંહ ત્યાં છે'. તે સાંભળી ઉપયોગ દેતાં ખરી હકીકત જાણીને આચાર્યે આદેશ આપ્યો કે- “જાઓ, ત્યાં તમારો જ્યેષ્ઠ બંધુ છે, પણ સિંહ નથી તેમને વંદન કરો'. તે સાંભળી યક્ષા વિગેરે સાધ્વીઓ ફરીથી ત્યાં ગઇ, અને સ્થૂલભદ્રને પોતાના સ્વરૂપમાં બેઠેલા જોઈ તેમને વંદન કરી પોતાને સ્થાને ગઈ. પછી સ્થૂલભદ્ર વાચના લેવા ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા, પણ સ્થૂલભદ્ર કરેલા અપરાધથી તેઓ અતિશય દુભાયા હતા. તેઓ બોલ્યા કે લભદ્ર! તમે વાચનાને અયોગ્ય છો'. તે સાંભળી સ્થૂલભદ્ર પોતાનો અપરાધ સંભારીને કહ્યું કે- હે ભગવાનૂ! ક્ષમા કરો, હું ફરીથી એવો અપરાધ નહિ કરું.’ આચાર્ય બોલ્યો કે-‘તમે અપરાધ કરવાથી વાચનાને લાયક નથી.” ત્યાર પછી સ્થૂલભદ્ર આચાર્ય મહારાજને મનાવવા સંઘને કહ્યું, અને સંઘના આગ્રહથી આચાર્ય મહારાજે સ્થૂલભદ્રને વાચના આપવાનું સ્વીકારી કહ્યું કે- ‘હવે પછી મંદસત્ત્વવાળા બીજા સાધુઓ પણ અપરાધ કરશે, તેથી તમારે બીજા કોઈને શેષ પૂર્વોની વાચના ન દેવી'. એ પ્રમાણે સ્થૂલભદ્રને અભિગ્રહ કરાવી બાકીના ચાર પૂર્વોની વાચના-સૂત્રથીમૂળમાત્ર આપી, તેથી મહામુનિ સ્થૂલભદ્ર ચૌદપૂર્વધર થયા. કહ્યું છે કે "केवली चरमो पम्बू-स्वाम्यथ प्रभवः प्रभुः। शय्यम्भवो यशोभद्रः, सम्भूतिविपयस्तथा ॥१॥ भद्रबाहुः स्थूलभद्रः, श्रुतकेवलिनो हि सट्" ॥ છેલ્લા કેવલી જબૂસ્વામી થયા. પ્રભવપ્રભુ, શયંભવ, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ અને સ્થૂલભદ્ર, એ છ શ્રુતકેવલી થયા”. (વેર અન્નપૂનમનોવમગુરૂ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યસ્થૂલભદ્રને (બંતવાણીતુવેથેરા) બે સ્થવિર શિષ્યો હતા. (વેરે મહારાણી વિવસનુd) એક એલાપત્ય ગોત્રવાળા સ્થવિર આર્ય મહાગિરિ, (રે ગસુત્થી વસિસ 97) અને બીજા વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્યસુહસ્તી. જિનકલ્પનો વિચ્છેદ થવા છતાં મહાત્મા શ્રી આર્યમહાગિરિએ જિનકલ્પની તુલના કરી હતી. આર્ય સુહસ્તીએ દુષ્કાળમાં સાધુઓ પાસે ભિક્ષા માગતા એક ભિક્ષુકને દીક્ષા આપી હતી, તે ભિક્ષુક મરીને સંપ્રતિરાજ થયો. શ્રેણિક રાજાનો પુત્ર કોણિક, તેનો પુત્ર ઉદાયી, તેની ગાદીએ નવ નંદરાજા, નવમા નંદરાજાની ગાદીએ ચંદ્રગુપ્ત, તેનો પુત્ર અશોકથી, તેનો પુત્ર કુણાલ, અને તે કુણાલનો પુત્ર સંપ્રતિ થયો. સંપ્રતિને જન્મતાં જ તેના દાદાએ રાજ્ય આપ્યું હતું. તે વખતે રથયાત્રામાં પ્રવૃત્ત થયેળા આર્ય સુહસ્તિગિરિને જોઇ સંપ્રતિરાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, તેણે આચાર્ય મહારાજ પાસે ધર્મોપદેશ સાંભળી શ્રાવકપણું અંગીકાર કર્યું. ત્યાર પછી તેણે સવા લાખ જિનમંદિર, સવા કરોડ જિન પ્રતિમા, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, પંચાણું હજાર પિત્તળની પ્રતિમા, અને લાખો દાનશાળાઓ વિગેરે ઉત્તમોત્તમ ધાર્મિક કાર્યોથી ત્રણ ખંડ પૃથ્વીને વિભૂષિત કરી. વળી સંપ્રતિરાજાએ અનાર્ય દેશોને પણ કરથી મુક્ત કરી, પ્રથમ તે દેશોમાં સાધુવેશ ધારણ કરનારા પોતાના સેવકોને મોકલી, તે દેશોને પણ સાધુઓને વિહાર કરવાને યોગ્ય કર્યા અને પોતાના તાબાના રાજાઓને જૈનધર્મના રાગી બનાવ્યા. વળી જેઓ વસ્ત્ર, પાત્ર, અન્ન, દહીં વિગેરે પ્રાસુક વસ્તુઓ વેચતા હતા, તેઓને સંપ્રતિરાજાએ કહ્યું કે- “તમે આવતા-જતા સાધુઓની આગળ પોતાની વસ્તુઓ મૂકો, અને તે પૂજયો, જે વસ્તુ ગ્રહણ કરે તે આપજો. અમારો ખજાનચી તે વસ્તુનું તમામ મૂલ્ય તથા તમારો ઇચ્છિત લાભ તમને ગુપ્ત રીતે આપશે.” આ પ્રમાણે રાજાની આજ્ઞાથી તેઓ તેમ કરવા લાગ્યા, અને તે વસ્તુઓ અશુદ્ધ થતાં શુદ્ધબુદ્ધિથી સાધુઓ ગ્રહણ કરવા લાગ્યા. (યેર કૌતુહત્યિક્ષ વદિસપુરસ) વાસિષ્ઠ ગોત્રવાળા સ્થવિર આર્ય સહસ્તીને (અંતેવાસી તુવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304