Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 9
________________ સફચારિત્રનો જાન અને તેથી કામક ચરચાઓ અને એમાં શું ખોટું? જેટલી ફિલસેકરોની શોધ ખેલ થઈ છે અને થાય છે, તેનું કારણ જિજ્ઞાસાજ છે. જિજ્ઞાસા સમસ્ત જ્ઞાન વિજ્ઞાનના પ્રારમ્ભનું કારણ છે, અને જિજ્ઞાસાના કારણથીજ આપણે સભાઓ ભરીએ છીએ, વક્તાઓને ઉભા કરીએ છીએ, અને વિદ્વાનોની ચરચાઓમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈએ છીએ, એટલું જ નહીં–પરતુ ધર્મશાસ્ત્ર-ધાર્મિક ચરચાઓ અને છેવટે સમ્યકજ્ઞાન અને તેથી સમ્યગદર્શન અને સમ્યફચારિત્રનો પહેલો હેતુ પણ જિજ્ઞસાજ છે. इहोपपत्तिर्मम केन कर्मणा कुतः प्रयातव्यमितो भवादिति । विचारणा यस्य न जायते हृदि कथं स धर्मप्रवणो भविष्यति ॥ શાસ્ત્રકાર કેવું સાચું કહે છે! “ક્યા કર્મના કારણથી હું અહી ઉત્પન્ન થયો છું ? આ ભવ છોડીને ક્યાં જવાનો છું? જેના દિલમાં આવા વિચારો કદીબી આવતા નથી એવા માણસે ધર્મમાં કેમ આગળ વધી શકે ?” કયા કર્મના હેતુથી હું અહી ઉત્પન્ન થયે છું? આ ભવ છોડીને ક્યાં જવાનો છું? જે પૃથિવીમાં–જે જગતમાં ઉત્પન્ન થઈને હું જીવન વ્યતીત કરું છું, જે પૃથિવીને-જે જગતને હું ગમે તેવી મહેનત કરીને મારી ઈચ્છા પ્રમાણે છોડી શકતો નથી, પરતુ જેને-ગમે તો મારી ઈચ્છા હો યા ન દે-એક દિવસે. અન્તઃકાલના વખતે, મારે છોડી દેવી પડશે આ પૃથિવી આ જગત કચી જાતનું એક સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burratumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40