Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 13
________________ યા gaseous સ્થિતિમાં રહેલાં હતાં અને કંઈ પણ જીવેત્પત્તિ હજુ નહીં થઈ હતી. ધીમે ધીમે ઉષ્ણતા ઓછી થતાં અનેક વિકારપૂર્વક સ્થિરતા થઈ, અને એકરૂંધવાલા એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ ઉત્પન્ન થયા. આ જીવોના propagation અને evolution દ્વારા વધારે ઉચી જાતના જીવો ઉત્પન્ન થયા છે, એટલે એક બાજુમાં વનસ્પતિ અને બીજી બાજુમાં કીડા, કીડાથી માછલી, માછલીથી મગર વિગેરે એમ સિંહ, વાઘ, વાંદરા સુધી બધી જાતના પ્રાણીઓ, અને, સૌથી છેલ્લાં–વાંદરાથી મનુષ્યો ઉત્પન્ન થયા છે. આ Darwin ની પ્રસિદ્ધ theory છે. આ theory નો આધાર એ છે કે–પૃથિવીના નીચે રહેલા થરોમાં નીચી જાતના જીવોનાં અવશિષ્ટ હાડકાં વિગેરે મલે છે, જ્યારે ઉચે રહેલા થરોમાં અનુક્રમે ઉચી અને વધારે ઉચી જાતના જીવોનાં હાડકાં, petrifactions વિગેરે મલે છે. અને બીજું એ કે એવા જીવોના અવ. શિષ્ટ ભાગ પણ મળે છે કે જે (અને આ બિલકુલ સાચી વાત છે)–અર્થે માછલીનું અને અધું મગરનું શરીર, યા અધું માછલીનું અને અધું પક્ષીનું શરીર, યા અધું મગર અને અર્ધ પક્ષીનું શરીર વિગેરે ધારણ કરે છે, અને વધારે ઉચે રહેલા થરોમાં પણ કંઈ મનુષ્ય અને કંઈ વાંદરાનાં લક્ષણ રાખનારાં હાડકાં મલ્યાં છે. પરતું પ્રાણીઓની ગમે તે જાતિથી કોઈ નવી પ્રાણઓની જાતિ ઉત્પન્ન થઈ શકે, એવું આપણે જોઈ કે. અનુભવી શકતા નથી. અર્થાત બીલાડી, કુતર, ચકલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40